PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢના પ્રવાસે, અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાત લેશે તથા ત્યાં અનેક નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે

PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢના પ્રવાસે, અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

નવી દિલ્હી/રાયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાત લેશે તથા ત્યાં અનેક નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તેમના આ પ્રવાસ અંગે જાણકારી આપવામાં આવી છે. પીએમઓ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદી ઓડિશામાં તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુર્નઉદ્ધાર કાર્ય શરૂ થવાના અવસરે તક્તિનું અનાવરણ કરશે. આ કોલસા ગેસથી ચાલનારું ભારતનો પહેલો ફર્ટિલાઈઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત તે પ્લાન્ટ પ્રાકૃતિક ગેસનું પણ ઉત્પાદન કરશે જે દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવામાં યોગદાન આપશે. 

ત્યારબાદ પીએમ એક એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે ઝારસુગુડા જશે. નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન ગર્જનબહલ કોલસા ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરદેગા રેલ સંપર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે. 

છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની લેશે મુલાકાત
ત્યારબાદ પીએમ મોદી આજે બપોરે 3.20 મિનિટ પર છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં પરંપરાગત હેન્ડલૂમ અને કૃષિ પર એક પ્રદર્શની જોવા જશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ અને પેંડ્રા-અનુપપુર ત્રીજી રેલ લાઈનનો શિલાન્યાસ કરશે. 

અધિકૃત સૂત્રોએ શુક્રવારે રાયપુરમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન શનિવારે 22 સપ્ટેમ્બરના રોજ જિલ્લા મુખ્યાલય જાંજગીરમાં રાજ્ય સરકારની અટલ વિકાસ યાત્રા હેઠળ આયોજિત ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે. આ અવસરે છત્તીસગઢની જનતાને લગભગ 3 હજાર 305 કરોડ રૂપિયાના રોડ અને રેલ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. મોદીજી લગભગ સાડા 3 વર્ષમાં છઠ્ઠીવાર છત્તીસગઢના પ્રવાસે જશે. 

જાંજગીરમાં અનેક પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
અધિકારીઓએ જણાવ્યું કે મોદી જાંજગીરમાં 1607 કરોડની બિલાસપુર-પથરાળી ફોર લેન રસ્તા અને 1697 કરોડ 79 લાખ રૂપિયાની બિલાસપુર-અનુપપુર ત્રીજી રેલ લાઈન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. 

બિલાસપુર-પથરાપાળી રોડ પ્રોજેક્ટનું નિર્માણ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા કરવામાં આવશે. જ્યારે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર-અનુપપુર ખંડની ત્રીજી લાઈનના નિર્માણથી છત્તીસગઢના બિલાસપુરથી મધ્ય પ્રદેશના જિલ્લા મુખ્યાલય અનુપપુર સુધી રેલ વ્યવહાર ખુબ સુગમ બનશે. 

તેના નિર્માણમાં એક હજાર 696 કરોડ 79 લાખ રૂપિયા ખર્ચ થશે. આ નવા રેલમાર્ગની  લંબાધ 152 કિમી હશે જેમાંથી 119.55 કિલોમીટરનો ભાગ છત્તીસગઢમાં અને લગભગ 32.45 કિમીનો ભાગ મધ્ય પ્રદેશમાં હશે. 

અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાંજગીરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રમણ સિંહ, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ વિકાસ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય રાજ્યકક્ષાના સ્ટીલ મંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ સહિત છત્તીસગઢ સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી રમણ સિંહે પ્રવાસ બદલ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું કે મોદી સાંજે 4.50 વાગે જાંજગીર-ચાંપાથી રવાના થઈને 5.40 વાગે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પહોંચશે. અને 5.45 વાગે નવી દિલ્હી જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news