શહીદ હેમંત કરકરે અંગે સાધ્વી પ્રજ્ઞાએ ભાંગરો વાટ્યો, ભાજપે છેડો ફાડ્યો

ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હૂમલામાં શહીદ પોલીસ અધિકારીને પોતાના શ્રાપ લાગ્યો હોવાની વાત કરી હતી

શહીદ હેમંત કરકરે અંગે સાધ્વી પ્રજ્ઞાએ ભાંગરો વાટ્યો, ભાજપે છેડો ફાડ્યો

ભોપાલ : ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા નિવેદનને પરત લીધું છે. તેમણે કહ્યું કે, મારી જે પીડા હતી તે વ્યક્તિગત્ત હતી, જે મે કહી સંભળાવી. સાધ્વીએ પ્રજ્ઞાએ પોતાનાં નિવેદનમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા શબ્દોથી દુશ્મનોને બળ મળે છે તો હું પોતાનું નિવેદન પરત લઉ છું, અને તેનાં સૈનિકોને જે આતંકવાદીઓ ગોળીથી મર્યું છે હું તેનું સન્માન કરુ છું. 

પ્રજ્ઞાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, મુંબઇ એટીએસ પ્રમુખ શહીદ હેમંત કરકરે દુશ્મન દેશની ગોળીઓથી મરાયા. નિશ્ચિત રીતે તેઓ શહીદ છે. સાધ્વીએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસનાં તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું કે, મે તેનો સર્વનાશ થશે તેવો શાપ આપ્યો હતો. 

ભાજપે પણ પ્રજ્ઞાનાં નિવેદન સાથે છેડો ફાડ્યો
આ અગાઉ ભાજપે સાધ્વીનાં નિવેદન સાથે છેડો ફાડ્યો હતો. ભાજપે કહ્યું કે, આ તેમનુ અંગત મતવ્ય છે જે વર્ષ સુધી તેમને થયેલા શારીરિક અને માનસિક ત્રાસનાં કારણે હોઇ શકે છે. ભાજપે આ કારણે ચાલુ થયેલા વિવાદોને હળવો કરવાનો પ્રયાસ કરતા નિવેદનમાં કહ્યું કે, ભાજપનું માનવું છે કે કરકરે બહાદુરી સાથે આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા. ભાજપે તેમને હંમેશા શહીદ માન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news