રંજન ગોગોઇ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ, 3 ઓક્ટોબરે શપથગ્રહણ

જસ્ટિસ ગોગોઇ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે અન્ય 3 જજ સાથે મીડિયા સક્ષમ પોતાની વ્યથા ઠાલવી હતી

રંજન ગોગોઇ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ, 3 ઓક્ટોબરે શપથગ્રહણ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંજન ગોગોઇ ભારતનાં આગામી મુખ્ય ન્યાયાધિશ (સીજેઆઇ) હશે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નવા સીજેઆઇ માટે તેમની નિયુક્તિ કરી છે. તેઓ ત્રણ ઓક્ટોબરે નવા મુખ્ય ન્યાયાધીશ પદની શપથ ગ્રહણ કરસે. સીજેઆઇ દીપક મિશ્રા બે ઓક્ટોબરે રિટાયર થઇ રહ્યા છે અને વરિષ્ઠતાક્રમમાં તેમની પછી રંજન ગોગોઇ જ આવે છે. 

મીડિયામાં સીજેઆઇ માટે ગોગોઇનાં નામની ચર્ચા ગત્ત ઘણા દિવસોથી ચાલી રહી હતી. રાષ્ટ્રપતિની મંજુરી બાદ આ ચર્ચાઓ પર હવે વિરામ લાગી ગયો છે. વરિષ્ઠ અધિવક્તા ઇંદિરા જયસિંહે પણ ગત્ત મહીને ગોગોઇના સીજેઆઇ બનવાની વાત કરી હતી. ઇંદિરા જયસિંહે પોતાનાં એક ટ્વીટ સંદેશમાં દાવો કર્યો હતો કે બિન અધિકારીક રીતે માહિતી છે કે આગામી સીજેઆઇ માટેની ભલામણ કેન્દ્ર સરકારને બે સપ્ટેમ્બરે મોકલવામાં આવશે અને રંજન ગોગોઇ આગામી સીજેઆઇ હશે. રંજન ગોગોઇ 17 નવેમ્બર, 2019નાં રોજ રિટાયર થશે. 

जज vs सीजेआई: गिले-शिकवे दूर करने के लिए सुप्रीम कोर्ट के 4 सीनियर जजों से मिले CJI दीपक मिश्रा

અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદા મંત્રાલયે જસ્ટિસ દીપક મિશ્રાના આગામી ચીફ જસ્ટિસનાં નામની ભલામણ માટેની માંગ કરી હતી. પરંપરા અનુસાર સીજેઆઇ સૌથી વરિષ્ઠ જજનાં નામની ભલામણ કરે છે. 
જસ્ટિસ ગોગોઇને 28 ફેબ્રુઆરી, 2001નાં રોજ ગુવાહાટી હાઇકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પણ જજ રહ્યા છે. તેમને 12 ફેબ્રુઆરી, 2011ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા અને એપ્રીલ, 2012માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા. 

રંજન ગોગોઇ ગત્ત વખતે તે સમયે સમાચારોમાં આવ્યા હતા. જ્યારે તેઓ અને અન્ય ત્રણ જજોએ મળીને મીડિયાને સંબોધિત કર્યા હતા અને સીજેઆઇ દિપક મિશ્રાની કાર્યપ્રણાલી મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા હતા. ન્યાયપાલિકાનાં ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે સુપ્રીમ કોર્ટના જજ મીડિયા સામે આવ્યા અને પોતાની વાત રજુ કરી હતી. જજોના આ પગલાથી કાયદા સહિત રાજનીતિક ગલિયારાઓ મુદ્દે ભૂકંપ મચી ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news