દેશની જનતાએ વિકાસની ગતિને તેજ કરવા માટે જનાદેશ આપ્યો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનને સંબોધિત  કર્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે. 5 જુલાઈના રોજ મોદી સરકારનું બજેટ રજુ થશે. બજેટ રજુ થતા અગાઉ રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય છે. 

દેશની જનતાએ વિકાસની ગતિને તેજ કરવા માટે જનાદેશ આપ્યો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદના બંને સદનને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે. 5 જુલાઈના રોજ મોદી સરકારનું બજેટ રજુ થશે. બજેટ રજુ થતા અગાઉ રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય છે. 

રાષ્ટ્રપતિના રામનાથ કોવિંદના અભિભાષણની મુખ્ય વાતો...

  • આઝાદીના 75માં વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે. દરેક ગરીબ પાસે વીજળી કનેક્શન હશે. દરેક ગરીબની પહોંચમાં મેડિકલ સુવિધાઓ હશે. ગંગાની ધારા નિર્મળ અને અવિરલ હશે. અંતરિક્ષ ટેક્નોલોજીના દમ પર કોઈ દેશવાસી અંતરિક્ષમાં તિરંગો લહેરાવશે. 
  • રાષ્ટ્ર નિર્માતાઓની સ્મૃતિને જાળવી રાખવી એ આપણું કર્તવ્ય છે. બાપૂની યાદમાં દાંડી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. સરદાર પટેલની યાદમાં મોટી પ્રતિમા બનાવવામાં આવી છે. બાબાસાહેબ અને દેશના તમામ પૂર્વ પીએમના યોગદાનને સન્માન આપતા દિલ્હીમાં એક મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. 
  • આજે આખા વિશ્વમાં ભારતની એક નવી ઓળખ બની છે તથા અન્ય દેશોની સાથે આપણા સંબંધો વધુ મજબુત થયા છે. પ્રસન્નતાની વાત છે કે વર્ષ 2022માં ભારત જી-20 શિખર સંમેલનની મેજબાની કરશે. 
  • આજે આતંકવાદના મુદ્દે આખુ વિશ્વ, ભારત સાથે ઊભુ છે. દેશમાં મોટા આતંકી હુમલાઓ માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો તે મોટું પ્રમાણ છે. 
  • મારી સરકાર વિદેશમાં વસેલા તથા ત્યાં કાર્યરત ભારતીયોના હિતોની રક્ષા પ્રત્યે સજાગ છે. આજે વિદેશમાં જો કોઈ ભારતીય સંકટમાં પડે તો તેને તરત મદદ અને રાહત મળવાનો ભરોસો હોય છે. પાસપોર્ટથી લઈને વિઝા સુધીની અનેક સેવાઓને સરળ અને સુલભ બનાવવામાં આવી છે. 
  • વર્ષ 2014માં દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી જ્યારે હવે વધીને 868 થઈ ગઈ છે. વાયુ પ્રદૂષણના પડકારોને જોતા દેશના 102 શહેરોમાં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ શરૂ કરાયો છે. 
  • ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોને ઓછા કરવામાં સૌર ઉર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતના સક્રિય પ્રયત્નોથી ઈન્ટરનેશનલ સોલર અલાયન્સની રચના થઈ. આ સંગઠનના માધ્યમથી દુનિયાના વિકાસશીલ દેશોમાં સૌર ઉર્જાના વિકાસમાં ભારત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. 
  • મારી સરકાર નમામિ ગંગે યોજના હેઠળ ગંગા નદીમાં ઠલવાતા ગંદા નાળાને બંધ કરવાના અબિયામાં ઝડપ લાવશે. સરકારનો પ્રયાસ રહેશે કે ગંગાની જેમ જ કાવેરી, પેરિયાર, નર્મદા, યમુના, મહાનદી, અને ગોદાવરી જેવી અન્ય નદીઓને પણ પ્રદૂષણ મુક્ત કરાય. 
  • આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ધાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. મારી સરકારે અર્ધકુંભના સફળ આયોજનમાં યોગદાન આપનારા દરેક વ્યક્તિને સન્માનિત કરીને તેમનું આત્મગૌરવ વધાર્યું છે. 
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરકારની અંતરિક્ષ ટેક્નોલોજી, ચંદ્રયાન-2 અને ગગનયાનનો ઉલ્લેખ કરીને આવનારા સમયમાં સરકારની મહત્વની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે અંતરિક્ષ ટેક્નોલોજીના કારણે જળ, જમીન અને આકાશમાં ભારતની સુરક્ષા વધી છે. આ ઉપરાંત હવામાનની સટીક આગાહી પણ શક્ય બની છે. 
  • સરકાર હાઈવેની સાથે સાથે રેલવે, એરવે, અને ઈનલેન્ડ વોટર વેના ક્ષેત્રમાં પણ મોટા પાયે કામ કરી રહી છે. ઉડાણ યોજના હેઠળ દેશના નાના શહેરોને એર વે સાથે જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 
  • ભારતમાતા પરિયોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં લગભગ 35 હજાર કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ અને અપગ્રેડેશન કરવાનું છે. આ સાથે જ સાગરમાલા પરિયોજના દ્વારા દેશના કાંઠાના વિસ્તારોમાં અને પોર્ટની આસપાસ સારા રસ્તાની જાળ બિછાવવામાં આવી રહી છે. 
  • મારી સરકાર આધુનિક ભારત માટે દેશના ગામડાઓથી લઈને શહેરો સુધી, વિશ્વસ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. 

— ANI (@ANI) June 20, 2019

  • 'ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર'ના કારણે અત્યાર સુધી એક લાખ 41 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા. લગભગ 8 કરોડ ખોટા લાભાર્થીઓના નામ હટાવવામાં આવ્યાં છે. 
  • કાળા ધન વિરુદ્ધ શરૂ કરાયેલી મુહિમને વધુ ઝડપી બનાવવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં 4 લાખ 25 હજાર ડાઈરેક્ટરોને અયોગ્ય જાહેર  કરાયા છે અને 3 લાખ 50 હજાર સંદિગ્ધ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરાયેલું છે. 
  • જીએસટી લાગુ થવાથી એક દેશ, એક ટેક્સ, એક બજારનો વિચાર સાકાર થયો છે. જીએસટીને વધુ સરળ બનાવવાના પ્રયત્નો થતા રહેશે. 
  • ટેક્સ વ્યવસ્થામાં સતત સુધારની સાથે સાથે સરળીકરણ ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાનો નિર્ણય આ દિશામાં ઉઠાવવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું છે. 
  • ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેંકિંગમાં વર્ષ 2014માં ભારત 142માં સ્થાને હતું. છેલ્લા 5 વર્ષોમાં 65 રેંક ઉપર આવીને આપણે 77માં સ્થાને પહોંચી ગયા છીએ. હવે વિશ્વના ટોચના 50 દેશોની સૂચિમાં સામેલ થવાનું આપણું લક્ષ્ય છે. 
  • આજે ભારત દુનિયાના સૌથી વધુ સ્ટાર્ટઅપવાળા દેશોમાં સામેલ થયું છે. 
  • વડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ સ્વરોજગાર માટે લગભગ 19 કરોડની લોન અપાઈ છે. આ યોજનાનો વિસ્તર કરતા હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાના પ્રયત્નો થશે. વેપારીઓ માટે ગેરંટી વગર 50 લાખ રૂપિયા સુધીના ઋણની યોજના પણ લાવવામાં આવશે. 
  • સરકાર દ્વારા સામાન્ય વર્ગના ગરીબ યુવાઓ માટે 10 ટકા અનામતની જોગવાઈ  કરાઈ છે. તેનાથી નિયુક્તિ અને શિક્ષણના ક્ષેત્રમાં વધુ તકો મળશે. 
  • ઉજ્જવલા યોજના દ્વારા ધૂમાડામાંથી મુક્તિ, મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી ટીકાકરણ, સૌભાગ્ય યોજનાથી મફત વીજળી કનેક્શન, આ બધાનો સૌથી વધુ લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે. 
  • રાષ્ટ્રીય આજીવિક મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોની 3 કરોડ મહિલાઓને અત્યાર સુધી 2 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન અપાઈ છે. 
  • દેશમાં દરેક બહેન બેટી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવાના હેતુથી ટ્રિપલ તલાક, અને નિકાહ હલાલા જેવી કુપ્રથાઓને દૂર કરવી જરૂરી છે. હું તમામ સભ્યોને વિનંતી કરીશ કે આપણી બહેનો અને બેટીઓના જીવનને વધુ સન્માનજનક અને સારું બનાવનારા આ પ્રયત્નોમાં સહયોગ આપે. 
  • મહિલાઓ વિરુદ્ધ અપરાધો માટેની સજાને કડક બનાવવામાં આવી છે અને નવી દંડ જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવામાં આવી રહી છે. 
  • 50 કરોડ ગરીબોને સ્વાસ્થ્ય-સુરક્ષા કવચ પ્રદાન કરતી વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ 'આયુષ્યમાન ભારત યોજના' લાગુ કરવામાં આવી છે. 

— ANI (@ANI) June 20, 2019

  • મહિલા સશક્તિકરણ, મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. નારીનું સબળ થવું તથા સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમની પ્રભાવી ભાગીદારી, એક વિક્સિત સમાજની  કસોટી હોય છે. સરકારની એ સોચ છે કે મહિલાઓના વિકાસ ઉપરાંત તેમના નેતૃત્વમાં પણ વિકાસ થાય. 
  • ગ્રામીણ ભારતને મજબુત બનાવવા માટે મોટા પાયે રોકાણ થયું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે આવનારા વર્ષોમાં વધુ 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. 
  • દેશના 112 આકાંક્ષી જિલ્લાઓના વિકાસ માટે વ્યાપક સ્તર પર કાર્ય થઈ રહ્યું છે. 
  • આપણે આપણા બાળકો અને આવનારી પેઢીઓ માટે પાણી બચાવવું જ પડશે. નવા જળશક્તિ મંત્રાલયની રચના આ દિશામાં એક નિર્ણાયક પગલું છે. જેનાથી લાંબાગાળે ફાયદો થશે. આ નવા મંત્રાલયના માધ્યમથી જળ સંરક્ષણ અને પ્રબંધન સંબંધિત સંકળાયેલી વ્યવસ્થાઓને વધુ પ્રભાવી બનવવામાં આવશે. 
  • નેશનલ ડિફેન્સ ફંડથી વીર જવાનોના બાળકોને મળનારી સ્કોલરશીપની રકમ વધારાઈ છે. તેમાં પહેલીવાર રાજ્ય પોલીસના જવાનોના પુત્ર-પુત્રીઓને પણ સામેલ કરાયા છે. 
  • ખેડૂત ગ્રામીણ વ્યવસ્થાના આધારસ્તંભ છે. ગ્રામીણ ભારતને મજબુત કરવા માટે મોટા પાયે રોકાણ કરાયું છે. 25 લાખ કરોડ રૂપિયા આગામી વર્ષોમાં રોકાણ કરાશે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે તે માટે પગલાં લેવાયા છે. 
  • રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો, જવાનો અને ગરીબો માટેની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો. જળ સંકટનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આવનારા સમયમાં જળ સંકટ વધી શકે છે. જળ શક્તિ મંત્રાલય બનાવવાનો નિર્ણય નિર્ણાયક પગલું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની સરકાર દુષ્કાળની સમસ્યાઓ પ્રત્યે સચેત છે. 
  • પહેલીવાર સરકારે નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા પર ધ્યાન આપ્યું છે. કેબિનેટની પહેલી બેઠકમાં જ નાના દુકાનદારો અને રીટેલ ટ્રેડર્સ માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી આપી. આ યોજનાનો લાભ દેશના લગભગ 3 કરોડ નાના દુકાનદારોને લાભ મળશે. 
  • નવું ભારત, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આદર્શ ભારતના તે સ્વરૂપને આગળ વધારાશે જ્યાં લોકોના ચિત્ત ભયમુક્ત હોય, અને આત્મ સન્માનથી તેમનું માથું ઊંચુ રહે. ગુરુદેવના શબ્દોમાં 'ચિત્તો જેથા ભય-સૂન્નો, ઉચ્ચો જેથા શિર... '
  • જે ખેડૂતો આપણા અન્નદાતા છે  તેમની સન્માન રાશિની પહોંચ વધારતા હવે વડાપ્રધાન કિસાન સન્માન નિધિને દેશના પ્રત્યેક ખેડૂત માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. 
  • મારી સરકાર પહેલા દિવસથી જ તમામ દેશવાસીઓના જીવન સુધારવા, કુશાસનથી પેદા થયેલી તેમની મુસીબતો દૂર કરવા અને સમાજના છેવાડાની હરોળમાં ઊભેલી વ્યક્તિ સુધી તમામ જરૂરી સુવિધાઓ પહોંચાડવાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત છે. 
  • દેશવાસીઓની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતા, હવે સરકાર તેમની આકાંક્ષાઓને અનુરૂપ એક સશક્ત, સુરક્ષિત, સમૃદ્ધ અને સર્વસમાવેશી ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. આ યાત્રા સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની મૂળ ભાવનાથી પ્રેરિત છે. 
  • આ વખતે લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધુ નાગરિકોએ મત આપ્યો અને એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો. સરકાર 'સબ કા સાથ, સબકા વિકાસ' માટે  કામ કરી રહી છે. 
  • મારી સરકાર રાષ્ટ્રનિર્માણની એ વિચાર પ્રતિ સંકલ્પિત છે જેનો પાયો વર્ષ 2014માં રખાયો હતો. 

— ANI (@ANI) June 20, 2019

  • આ વખતે મતદારોએ મજબુત જનાદેશ આપ્યો છે. મારી સરકાર બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ પર ચાલવાનું શરૂ કર્યું. 
  • છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશવાસીઓમાં એ વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની સાથે છે. 
  • આ લોકસભામાં લગભગ અડધા સાંસદો પહેલીવાર ચૂંટાઈ આવ્યાં છે. આ વખતે 78 મહિલા સાંસદો ચૂંટાઈ આવી જે ભારતની  તસવીર પ્રસ્તુત કરે છે. 
  • આ વખતે મહિલાઓએ પહેલાની સરખામણીમાં વધુ મતદાન કર્યું છે. તેમની ભાગીદારી પુરુષો જેટલી રહી છે. તમામ મતદારો અભિનંદનને પાત્ર છે. 
  • આ લોકસભા માટે ચૂંટાઈ આવેલા તમામ સાંસદોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 

જુઓ LIVE TV

    બુધવારે લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં  બાદ ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ લોકસભા અધ્યક્ષે ઉપરાષ્ટ્રપતિ નાયડુની મુલાકાત તેમના નિવાસસ્થાને કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. 

    રાજસ્થાનમાં કોટાથી બેવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા  બાદ ઓમ બિરલાને સર્વસંમતિથી બુધવારે લોકસભા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં. 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news