પંજાબના રાજ્યપાલને મળી ભગવંત માને સરકાર બનાવવાનો કર્યો દાવો, કહ્યું- 'અમારી પાસે સારી કેબિનેટ હશે, રાહ જોવો..'

રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં 16 માર્ચે 12.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.

પંજાબના રાજ્યપાલને મળી ભગવંત માને સરકાર બનાવવાનો કર્યો દાવો, કહ્યું- 'અમારી પાસે સારી કેબિનેટ હશે, રાહ જોવો..'

નવી દિલ્હી: પંજાબાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. શુક્રવારે મોહાલીમાં AAP ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કરીને કહ્યું કે, તેમની પાસે સારી કેબિનેટ હશે.

પંજાબના મનોનીત મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, “આજે મેં રાજ્યપાલને સમર્થન પત્ર સુપરત કર્યો છે અને પંજાબમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં 16 માર્ચે 12.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.

— ANI (@ANI) March 12, 2022

શપથ ગ્રહણ માટે અરવિંદ કેજરીવાલને પણ મોકલવામાં આવ્યું આમંત્રણ
ભગવંત માનને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કર્યા છે. આપ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે રવિવારે માન અને કેજરીવાલ બન્ને સ્વર્ણ મંદિર, દુર્ગિયાણા મંદિર અને શ્રીરામ તીરથ મંદિરમાં દર્શન કરશે. તેઓ આપની જીતનો જશ્ન મનાવવા અને મતદાતાઓને શુભેચ્છા પાઠવવા માટે અમૃતસરમાં એક રોડ શોમાં પણ ભાગ લેશે. આમ આદમી પાર્ટીએ 117 સભ્યોવાળી વિધાનસભામાં 92 બેઠકો પર જીત હાંસલ કરી છે.

વિધાયક દળના નેતા તરીકે પસંદગી થતાં શું બોલ્યા ભગવંત માન
વિધાયક દળના નેતા તરીકે પસંદગી થતા ભગવંત માનને ધારાસભ્યોને કહ્યું હતું કે, મારી તમને બધાને એક વિનંતી છે કે અહંકાર ના કરતા, જેમણે વોટ નથી આપ્યા, તેમનું પણ કામ કરજો. તમે પંજાબીઓના ધારાસભ્ય છો, સરકાર પંજાબીઓએ બનાવી છે. માને વધુમાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ દ્વારા કોઈપણ ગેરરીતિ અંગે તેઓ ખૂબ જ કડક રહેશે. તેમણે કહ્યું કે અમે જ્યાં વોટ માંગ્યા છે ત્યાં જઈને કામ કરવું પડશે. જીતીને એવું નથી કહેવાનું કે ચંદીગઢ આવજો. કોઈ ભેદભાવ ના કરતા, અરવિંદ કેજરીવાલનો પણ આજ સંદેશ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news