રાહુલ ગાંધીનું હિન્દુ કાર્ડ, કહ્યુ- હિન્દુઓનું રાજ પરત લાવવાનું છે, હું પણ હિન્દુ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યુ કે, ભારત હિન્દુઓનો દેશ છે, હિન્દુત્વવાદીઓનો નહીં. સાથે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમના ત્રણ-ચાર મિત્રોએ 7 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે. 
 

રાહુલ ગાંધીનું હિન્દુ કાર્ડ, કહ્યુ- હિન્દુઓનું રાજ પરત લાવવાનું છે, હું પણ હિન્દુ

જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસે આજે મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ એકવાર ફરી હિન્દુ અને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ- બે શબ્દોનો એક અર્થ ન હોઈ શકે. દરેક શબ્દનો અલગ અર્થ થાય છે. એક બિન્દુ- બીજો હિન્દુત્વવાદી. હું હિન્દુ છું પરંતુ હિન્દુવાદી નહીં. મહાત્મા ગાંધી- હિન્દુ, ગોડસે- હિન્દુવાદી. 

રાહુલ ગાંધીએ કહ્યુ, 'બે જીવોની એક આત્મા ન હોઈ શકે, તેમ બે શબ્દોનો એક અર્થ ન થઈ શકે, દરેક શબ્દનો અલગ અર્થ થાય છે, દેશની રાજનીતિમાં આજે બે શબ્દોનું અંતર છે, આ બે શબ્દોનો અર્થ અલગ છે, એક શબ્દ હિન્દુ અને બીજો શબ્દ હિન્દુત્વવાદી, આ એક શબ્દ નથી, આ બંને અલગ છે, હું હિન્દુ છું પરંતુ હું હિન્દુત્વવાદી નથી.'

તેમણે કહ્યું- 'હિન્દુ અને હિન્દુત્વવાદી વચ્ચે ફરક સમજાવુ છું. મહાત્મા ગાંધી હિન્દુ અને ગોડસે હિન્દુત્વવાદી, ભલે ગમે તે થઈ જાય હિન્દુ સત્યને શોધે છે, મરી જાય, કપાય જાય, હિન્દુ સત્ય શોધે છે, તેની જિંદગી સત્ય શોધવામાં નિકળે છે, મહાત્મા ગાંધીએ પોતાનું જીવન સત્ય શોધવામાં કાઢ્યુ, અંતમાં હિન્દુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી.'

તેમણે કહ્યું- હિન્દુત્વવાદી સત્તા માટે ગમે તે કરી દેશે, સળગાવી દેશે, કાપી નાખશે, મારશે, તેનો માર્ગ સત્યાગ્રહ નહીં, સત્તાગ્રહ છે. હિન્દુ ઉભો થઈને પોતાના ડરનો સામનો કરે છે, પોતાના ડરને શિવજીની જેમ પી લે છે, હિન્દુત્વવાદી ડરની સામે ઝુકી જાય છે. 

હિન્દુઓનું રાજ પરત લાવવાનું છે
રાહુલે કહ્યુ કે, હિન્દુ તે છે જે કોઈથી ડરતો નથી જે બધાને ગળે લગાવે છે. તેમણે કહ્યું કે, દેશમાંથી હિન્દુવાદીઓને બહાર કાઢવાના છે, હિન્દુઓનું રાજ લાવવાનું છે. દેશને જનતા ચલાવી રહી નથી, દેશને 3-4 ધનવાનો ચલાવી રહ્યાં છે અને આપણા પ્રધાનમંત્રીજી તેનું કામ કરી રહ્યાં છે. 

કોણ છે હિન્દુ?
રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યુ કે, અસલી હિન્દુ તે છે જે બધાને ગળે લગાવે છે, કોઈથી ડરતા નથી અને દરેક ધર્મનું સન્માન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news