Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અનલોક 5ની ગાઈડલાઈન(Unlock 5.0 Guidline) મુજબ શાળાઓને ફરીથી ખોલવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ શાળા અને કોચિંગ સંસ્થાઓને શ્રેણીબદ્ધ રીતે ખોલી શકાય છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક પ્રદેશોએ આ અંગે નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. 

Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અનલોક 5ની ગાઈડલાઈન(Unlock 5.0 Guidline) મુજબ શાળાઓને ફરીથી ખોલવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ શાળા અને કોચિંગ સંસ્થાઓને શ્રેણીબદ્ધ રીતે ખોલી શકાય છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક પ્રદેશોએ આ અંગે નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. 

ઉત્તરાખંડ
ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં પણ તબક્કાવાર રીતે શાળાઓ ખોલવાના નિર્ણય પર ભલે અંતિમ નિર્ણય આવવાનો બાકી હોય પરંતુ સરકારે શાળાઓની જવાબદારી નક્કી કરી દીધી છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી મદન કૌશિકે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ભલે શાળાઓ પર એકલા હાથે કોવિડ-19નો પ્રસાર રોકવાની જવાબદારી ન નાખી શકાય પરંતુ તેનો અર્થ એ જરાય નથી કે શાળા મેનેજમેન્ટ અને જિલ્લા શિક્ષણ વિભાગ પોતાની જવાબદારીમાંથી બચી શકે છે. શાળા પેરેન્ટ્સ પર તેની જવાબદારી નાખીને બચી શકે નહી. તેમણે કહ્યું કે શાળાઓની સાથે સાથે બાળકોની સુરક્ષાની જવાબદારી અધિકારીઓની પણ રહેશે. શાળાઓ દ્વારા બાળકોની સુરક્ષા અને સામાજિક અંતર જાળવી રાખવા સહિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. 

દિલ્હી-એનસીઆર
દિલ્હી સરકારે કેન્દ્ર તરફથી 15મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવા માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન છતાં કોરોનાવાયરસ મહામારીને કારણે શાળાઓને 31 ઓક્ટોબર સુધી બંધ રાખી છે. એનસીઆરમાં કેટલીક શાળાઓએ 9થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક રીતે શાળાએ આવવાની મંજૂરી આપી છે. એનસીઆરમાં સમગ્ર દિલ્હી અને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લા સામેલ છે. 

પંજાબ
પંજાબ સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવા માટે નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે. પંજાબ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ માત્ર ધોરણ 9થી 12 સુધીના ક્લાસને જ મંજૂરી અપાશે તથા પ્રતિ સેક્શન 20થી વધુ વિદ્યાર્થીઓને મંજૂરી મળશે નહીં. 

અત્રે જણાવવાનું કે 3 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયે કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના કેટલાક વિસ્તારોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો હતો. નવા નિયમો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલા ફિડબેક અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગો સાથે વ્યાપક વિચાર વિમર્શ કર્યા બાદ બનાવવામાં આવ્યા છે. 

અનલોક 5ની નવી માર્ગદર્શિકા એક ઓક્ટોબરથી લાગુ છે. ત્યારબાદ 15 ઓક્ટોબરથી અનેક સેવાઓ ફરીથી શરૂ થઈ રહી છે. શાળા, કોલેજો, અને કોચિંગ સંસ્થાઓથી માડીને થિયેટરો 15 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી મળી છે. 

શાળાઓ માટે માર્ગદર્શિકા
કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે જનજીવન સામાન્ય કરવાની કોશિશ સતત ચાલુ છે. 21 સપ્ટેમ્બરથી જ્યાં રાજ્યોને ધોરણ 9થી 12 સુધી ચાલુ કરવાની મંજૂરી અપાઈ હતી. ત્યાં હવે 15 ઓક્ટોબર પછી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે શાળા (Schools reopen) , કોલેજો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે આમ છતાં ખોલવી કે નહીં તે રાજ્ય સરકાર પર નિર્ભર રહેશે. શિક્ષણ મંત્રાલયે અનલોક 5.0 માટે ગાઈડલાઈન્સને વિશે ટ્વીટ કરી છે અને વિસ્તારથી દરેક વાતની જાણકારી આપી છે. જો કે હાલ આ છૂટ ફક્ત નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે જ અપાઈ છે. શાળાઓ ક્યારથી ખોલવી તે તારીખ રાજ્ય સરકારો નક્કી કરશે.

શિક્ષણ મંત્રાલયે શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. જેના આધારે રાજ્યોએ પોતાની માર્ગદર્શિકા ફ્રેમ કરવાની રહશે. શાળાઓ ખોલવાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અગાઉ બહાર પડી ચૂકી છે. જેમાં કોવિડ સંબધિત સાવધાનીઓ અંગે વિસ્તૃત જાણકારી અપાઈ છે. આવો જાણીએ નવી ગાઈડલાઈન્સમાં શું છે.

શાળાઓ, કોચિંગ સંસ્થાઓ ખોલવા માટે માર્ગદર્શિકા...

  • ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • જો વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસ અટેન્ડ  કરવા માંગે તો તેમને તે અંગે મંજૂરી આપી શકાય.
  • વિદ્યાર્થીઓ ફક્ત માતા પિતાની લેખિત મંજૂરી બાદ જ શાળા/કોચિંગ ક્લાસમાં આવી શકે. તેમના પર હાજરીનું કોઈ દબાણ ન નાખવામાં આવે. 
  • સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શિક્ષણ વિભાગની SOPના આધારે રાજ્ય પોતાની SOP તૈયાર કરશે. 
  • જે પણ શાળાઓ ખુલશે તેમણે ફરજિયાત રીતે રાજ્યના શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવાનું રહેશે. 

કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટેના નિયમ
કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખુલશે તેના પર નિર્ણય ઉચ્ચ શિક્ષણ વિભાગ લેશે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે વાત  કરવામાં આવશે. શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા આ પ્રમાણે છે. 

  • ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન
  • હાલ ફક્ત રિસર્ચ સ્કોલર્સ (Ph.D) અને પીજીના એ જ વિદ્યાર્થીઓ કે જેમણે લેબમાં કામ કરવું પડે છે તેમના માટે જ સંસ્થાનો ખુલશે. તેમાં પણ કેન્દ્રની સહાયતા મેળવનારી સંસ્થાઓમાં, તેમના હેડ નક્કી કરશે કે લેબવર્કની જરૂર છે કે નહીં. રાજ્યોની યુનિવર્સિટીઓ કે પ્રાઈવેટ યુનિવર્સિટીઓ પોતાના ત્યાં સ્થાનિક ગાઈડલાઈન્સ પ્રમાણે ખુલી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news