લોકસભા બાદ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ, સંસદના બંને ગૃહે ઐતિહાસિક બિલને આપી મંજૂરી

Women Reservation Bill Passed: દેશની કરોડો મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મહિલા અનામત બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. એટલે કે લોકસભા બાદ આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. 

લોકસભા બાદ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ, સંસદના બંને ગૃહે ઐતિહાસિક બિલને આપી મંજૂરી

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યો વિધાનસભામાં મહિલાઓનો 33 ટકા અનામત આપતું બિલ લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. બુધવારે લાંબી ચર્ચા બાદ લોકસભાએ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) ને મંજૂરી આપી હતી. ત્યારબાદ આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં અનેક સાંસદોએ મહિલા અનામત બિલ પર પોતાના વિચારો રજૂ કર્યાં હતા. ચર્ચા સમાપ્ત થયા બાદ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું અને બિલ પસાર થઈ ગયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિની સહી સાથે કાયદો બની જશે.

રાજ્યસભામાં બિલ પાસ
દેશની લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે આજે બિલ રજૂ કર્યાં હતા. ત્યારબાદ તેમાં પીએમ મોદી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મહિલા સાંસદોએ પોતાની વાત રાખી હતી. ત્યારબાદ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ બિલના પક્ષમાં 215 સાંસદોએ પોતાનું સમર્થન આપ્યું હતું.

બુધવારે લોકસભામાં પાસ થયું હતું બિલ
મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બિલ પર મતદાન સ્લિપ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધ બે વોટ પડ્યા. વોટિંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 લોકસભા સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.

ચાલો દેશને એક મજબૂત સંદેશ આપીએ - પીએમ મોદી
અર્જુન રામ મેઘવાલ બાદ પીએમ મોદી રાજ્યસભામાં બોલવા માટે ઉભા થયા. પીએમએ કહ્યું કે માત્ર બિલ દ્વારા મહિલા શક્તિને વિશેષ સન્માન નથી મળી રહ્યું. આ બિલ પ્રત્યે તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની મહિલા શક્તિને નવી ઉર્જા આપશે. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બિલ દેશના લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને 'નારી શક્તિ' વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો દેશને એક મજબૂત સંદેશ આપીએ.

કાયદા મંત્રીનું નિવેદન
મહિલા અનામત બિલના અમલીકરણમાં વિલંબ અંગે વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સીમાંકનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સીમાંકનની કલમ 8 અને 9 માં કહેવાયું છે કે નિર્ધારણ ફક્ત સંખ્યાઓ આપીને જ થાય છે. જો આપણે આ તકનીકી બાબતોમાં જઈએ તો તમે ઇચ્છો છો કે આ બિલ અટકી જાય. પરંતુ અમે આ બિલને અટકવા નહીં દઈએ. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે મહિલા અનામતનો વિષય આડો અને ઊભો બંને છે. હવે સીમાંકન અને વસ્તી ગણતરી તાત્કાલિક થઈ શકશે નહીં. તમે તરત જ આપવાનું કહો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news