યોગી આદિત્યનાથ આજે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બની શકે છે મંત્રી

ભાજપના નેતા યોગી આદિત્યનાથ આજે (શુક્રવારે) સાંજે 4 વાગે લખનઉના અટલ બિહારી વાજપાઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની શપથ લેશે. સીએમ યોગીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના ઘણા મોટા નેતા પણ સામેલ થશે.  

યોગી આદિત્યનાથ આજે લેશે CM પદના શપથ, જાણો  કોણ-કોણ બની શકે છે મંત્રી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત બાદ તમામની નજર યોગી કેબિનેટ પર મંડરાયેલી છે. યોગી કેબિનેટમાં આ વખતે ઘણા નવા ચહેરાઓને સ્થાન મળવાની સંભાવના જોવા મળી શકે છે. યુપી કેબિનેટમાં કયા નેતાઓને મંત્રી બનાવવામાં આવશે તેનું ગણિત લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. યોગી કેબિનેટના સંભવિત મંત્રીઓની સંપૂર્ણ યાદી સામે આવી છે, જોકે, તેને મંજૂરી મળવાની બાકી છે. શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ બાદ સ્પષ્ટ થશે કે કયા નેતાને મંત્રી બનાવવામાં આવશે.

સીએમ યોગીના શપથ ગ્રહણમાં PM મોદી પણ થશે સામેલ
ભાજપના નેતા યોગી આદિત્યનાથ આજે (શુક્રવારે) સાંજે 4 વાગે લખનઉના અટલ બિહારી વાજપાઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની શપથ લેશે. સીએમ યોગીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના ઘણા મોટા નેતા પણ સામેલ થશે.  

શપગ્રહણમાં ત્રણ પૂર્વ મુખ્ય્માંત્રીઓને કર્યા આમંત્રિત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ પહેલાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ફોન કરીને આમંત્રિત કર્યા છે. તેમણે મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવને ફોન પર સમારોહમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 

20-25 મંત્રી થશે રિપીટ
યોગી સરકારના 33 મંત્રી જીતીને આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી 20 થી 25 મંત્રી રિપીટ કરવામાં આવશે. સુરેશ ખન્નાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હારનાર મંત્રીઓમાંથી પણ ત્રણ મંત્રી રિપીટ કરવામાં આવી શકે છે. 

આ નેતા બની શકે છે મંત્રી યૂપીના મંત્રીમંડળમાં નવા સંભવિત મંત્રીઓના નામ હોઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરિતા ભદૌરિયા, જય વીર સિંહ, અદિતિ સિંહ, દયાશંકર સિંહ, અપર્ણા યાદવ, શલબમણિ ત્રિપાઠી, અસીમ અરુણ, રાજેશ્વર સિંહ, રામવિલાસ ચૌહાણ, ડૉ.સુરભી, ડૉ.સંજય નિષાદ, સુરેન્દ્ર કુશવાહા, નીતિન અગ્રવાલ, પંકજ સિંહ, ડૉ. સુનીલ શર્મા, રાજેશ ત્રિપાઠી, કુંવર બ્રજેશ અને રામચંદ્ર યાદવને મંત્રી બનાવવામાં આવી શકે છે.

યોગી કેબિનેટના આ મંત્રી થઇ શકે છે રિપીટ
સૂત્રોના જણાવ્યા અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય, શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થ નાથ સિંહ, કપિલ દેવ અગ્રવાલ, જિતિન પ્રસાદ, રવીન્દ્ર જયસ્વાલ, મહેન્દ્ર સિંહ, ભૂપેન્દ્ર ચૌધરી, સિદ્ધાર્થ નાથ સિંહ, નંદ ગોપાલ નંદી, જય પ્રતાપ સિંહ, સૂર્ય પ્રતાપ શાહી, બ્રિજેશ પાઠક, પી. યોગી કેબિનેટમાં આશુતોષ ટંડન, સુરેશ રાણા, મોતી સિંહ, અનિલ રાજભર, રામ નરેશ અગ્નિહોત્રી, નીલકંઠ તિવારી, સતીશ મહાના, અશોક કટારિયા, નીલિમા કટિયાર, મોહસિન રઝા અને ડૉ. દિનેશ શર્મા ફરી મંત્રી બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news