કેસર, કલોંજી અને કેળા...ખરતા વાળને તાત્કાલિક અટકાવશે આ 8 વસ્તુઓનો ઉપયોગ

Hair Fall: શું તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો? શું તમે પણ સતત થઈ રહેલાં હેરફોલનો રોકવા માંગો છો? આજથી અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો. થોડા જ દિવસોમાં દેખાશે રિઝલ્ટ...

કેસર, કલોંજી અને કેળા...ખરતા વાળને તાત્કાલિક અટકાવશે આ 8 વસ્તુઓનો ઉપયોગ

Hair Fall: વાળ ખરતા હોય ત્યારે આપણે શરૂઆતમાં તેને આપણે ગંભીરતાથી લેતા નથી, પરંતુ જેમ જેમ આ સમસ્યા વધે છે તેમ ટાલિયાપણાનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. હોર્મોન્સના લેવલમાં અચાનક બદલાવ, કેલ્શિયમની ખામી અને કેટલીક ગંભીર બિમારીઓના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

ન માત્ર મહિલાઓ પરંતુ પુરૂષોને પણ વાળ પ્રત્યે પ્રેમ હોય છે અને વાળ ખરે એ કોઈને ના ગમે... આજની સ્ટ્રેસફુલ લાઈફ, પોષણક્ષમ ખોરાક ન લેવો, પાણી શરીરની ત્વચાને માફક ન આવવું અનેક મુદ્દાઓના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો. અહીં જાણીએ કે વાળ ખરવાની સમસ્યા માટે કયા ઉપાયો અપનાવી શકાય છે:

1. કેળા-લીંબુ:
કેળાને સારી રીતે સ્મેશ કરી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને બ્રશની મદદથી માથામાં લગાવો અને કેટલાક કલાકો માટે તેને રહેવા દો અને ત્યારબાદ વાળ ધોઈ લો.

2. કેસર-મૂલેઠી:
ટાલિયાપણાની સમસ્યા દૂર કરવા મૂલેઠીનો ઉપયોગ કરી શકો છો. થોડીક મુલેઠી લો તેમાં દૂધના કેટલાક ટીપાં ઉમેરો અને ચપટી કેસર નાખો. આ બધાને પીસીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને રાત્રે સોતા પહેલા તેને માથા પર લગાવો અને સવારે શેમ્પુ કરી લો.

3. કલોંજી:
કલોંજીને પીસીને પાઉડર બનાવો. આ પાઉડરને પાણીમાં મિક્સ કરો અને તે પાણીથી તમારું માથું ધોઈ લો. થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે.

4. આમળા-લીમડો:
આમળાના પાઉડર અને લીમડાના પાનને પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લો. આ પાણીથી અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો.

5. ડુંગળી:
ડુંગળીના બે કટકા કરી લો, 5 થી 7 મિનિટ સુધી માથામાં જે હિસ્સામાં વાળ નથી તે હિસ્સા પર તેને ઘસો, જ્યાથી વાળ ખરી રહ્યા છે ત્યા વાળ ખરવાનું બંધ થશે અને નવા વાળ આવવા લાગશે.

6. દહીં અને બેસન:
2-2 ચમચી દહીં અને બેસન (ચણાનો લોટ) મિક્સ કરી લો. તેને માથા અને વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આવું દિવસમાં 2થી 3 વખત કરો. તેનાથી પણ ખરતા વાળની સમસ્યામાં આરામ મળશે.

7. મેથીના દાણા:
2 ચમચી મેથીના દાણાને રાતના પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને વાટીને વાળ પર લગાવો. તેનાથી વાળ કાળા અને ભરાવદાર બનશે. તેમજ ખરતા વાળની સમસ્યાથી છુટાકરો મળશે. 

8. આમળા અને નારિયેળ તેલ:
4 ચમચી નારિયેળ તેલમાં આમળાના 2 ટુકડા નાખીને ગરમ કરો. ઠંડું થવા પર માથાની સરખી રીતે માલિશ કરો. 20 મિનિટ પછી નહાય લો. આવું નિયમિત કરો. હેર ફોલની પ્રોબ્લેમમાં ફાયદો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news