આ બ્લડ ગ્રુપવાળા લોકોને વધુ કરડે છે મચ્છર, જાણો તેની પાછળનું કારણ

why mosquito bite some people more than others: વરસાદની સીઝનમાં મચ્છરો ખુબ પરેશાન કરે છે. તો કેટલાક લોકોને વધુ મચ્છર કરડે છે. આવો જાણીએ આખરે કયાં લોકોને વધુ મચ્છર કરડે છે. 
 

આ બ્લડ ગ્રુપવાળા લોકોને વધુ કરડે છે મચ્છર, જાણો તેની પાછળનું કારણ

નવી દિલ્હીઃ why mosquito bite some people more than others: તમે પણ સાંભળ્યું હશે કે કેટલાક લોકોને મચ્છર વધુ કરડે છે. તેવામાં લોગો કહે છે કે જે લોકોનું લોહી મીઠું હોય છે તેને મચ્છર વધુ કરડે છે. આતો મજાકની વાત છે કે મચ્છર કરડવાની પાછળ ઘણા કારણ હોય છે. તો બ્લડ ગ્રુપને કારણે મચ્છર વધુ કરડે છે. આવો જાણીએ કયાં બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધુ કરડે છે.

કયાં બ્લડ ગ્રુપના લોકોને વધુ કરડે છે મચ્છર
રિસર્ચ અનુસાર 0 બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધુ કરડે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે મચ્છર ત્વચાની ગંધ અને માઇક્રોબાયોટા તરફ વધુ આકર્ષિત થાય છે.

શરીરનું તાપમાન
શરીરની ગરમીને કારણે પણ મચ્છર વધુ કરડે છે. કારણ કે પરસેવામાં લેક્ટિક એસિડ અને અમોનિયા હોય છે, જે મચ્છરોને આકર્ષિત કરે છે. 

દારૂ અને ડાર્ક કલર
દારૂ પીનારા લોકોને પણ મચ્છર વધુ કરડે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કપડાનો કલર પણ મચ્છરોને આકર્ષિત કરે છે. મચ્છર કાળા અને જાંબલી સહિતના ઘેરા રંગના કપડાં તરફ આકર્ષાય છે. મચ્છરોથી બચવા માટે હળવા રંગના કપડાં પહેરો. 

કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને ખુબ સારી લાગે છે. કાર્બન ડાયોક્સાઇડને કારણે મચ્છર મનુષ્યો તરફ આકર્ષિત થાય છે. માદા મચ્છર પોતાના સેન્સિંગ ઓર્ગનની મદદથી કાર્બન ડાયોક્સાઈડની ગંધ ઓળખી માનવ શરીર તરફ આકર્ષિત થાય છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ જરૂર લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news