કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ?

ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કારમાં આગ ન લાગે માટે શું કરવું જોઈએ. 

કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ?

ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.. ત્યારે આવી સ્થિતીમાં હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તમારે તમારી સાથે તમારું વાહન પણ તૈયાર કરવું પડશે. ત્યારે તમારી કારને ઉનાળાની ઋતુ માટે તૈયાર કરવા માટે અમે લાવ્યા છીએ 5 ઉપાયો આપણા માટે...

ગાડીનું એસી ચેક કરી લેવું
ઉનાળાની શરૂઆત થતાં જ તમારે તમારી કારનું એસી સિસ્ટમ તપાસી લેવી જોઈએ... કેમકે ખરાહ એસીના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે... સૌ પ્રથમ, તમારા એસી વેન્ટ્સને સાફ કરો અને જો જરૂરી હોય તો એસી ગેસ ભરો. આ ઉપરાંત, તમે એસી સિસ્ટમમાં કોઈપણ લીકની પણ તપાસ કરી શકો છો.

સનશેડ
કાળઝાળ ગરમીથી બચવા માટે તમે સનશેડની ખરીદો લો. કારણે તાપમાં કાર ઉભી હોય તો સનશેડ કારના કારણે કારને મોટાપ્રમાણમાં ઠંડી રાખી શકે છે. ઉપરાંત, વિન્ડસ્ક્રીનને ઢાંકવા માટે બજારમાં સનશેડ્સ ઉપલબ્ધ છે અને આ પ્રકારના સનશેડ્સ ઉનાળામાં વધુ અસરકારક છે.

કારના ટાયરો પણ તપાસી લો
કાળઝાળ ગરમીના કારણે રસ્તાો પણ તપે છે.ઉનાળાની ઋતુ પહેલા ટાયર ચેક કરી લેવા જોઈએ. ટાયરમાં કોઈ ખામી હોય તો, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે ટાયર બદલવું વધુ સારું છે.

સૌર ઉર્જાથી ચાલતો પંખો
હાલમાં બજારમાં એક નવા પ્રકારનો સોલાર પંખો ઉપલબ્ધ છે. આ પંખો ખાસ કરીને કારના અંદરના ભાગમાંથી ગરમ હવાને દૂર કરે છે... આ સૌર પંખો કારની બારીમાં વ્યવસ્થિત રીતે ફીટ થાય છે... અને ગરમ હવાને બહાર ફેકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news