AIIMS એ ઓટોપ્સી રિપોર્ટની સૌથી મોટી ખામી ગણાવી, જાણો શું કહ્યું?

સૂત્રના જણા્વ્યા મુજબ અભિનેતાનું મોત કોઈ ઝેરીલી વસ્તુના સેવનથી થયું તે એંગલને પણ ફગાવવામાં આવ્યો છે. 

નવી દિલ્હી: AIIMSના ફોરેન્સિક વિભાગે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ઓટોપ્સી રિપોર્ટમાં સૌથી મોટી ખામી ગણાવતા એમ્સે રિપોર્ટમાં મૃત્યુનો સમય ન નોંધવા પર સવાલ ઉઠાવ્યો છે. આ સાથે જ કૂપર હોસ્પિટલમાં માઈલ્ડ પ્રકાશવાળા પોસ્ટમોર્ટમ રૂમ તરફ પણ આંગળી ચીંધી છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રના જણા્વ્યા મુજબ અભિનેતાનું મોત કોઈ ઝેરીલી વસ્તુના સેવનથી થયું તે એંગલને પણ ફગાવવામાં આવ્યો છે. 

સીબીઆઈને સોંપ્યો રિપોર્ટ

1/3
image

એમ્સના એક સૂત્રએ જણાવ્યું કે ડો.સુધીર ગુપ્તાની અધ્યક્ષતાવાળી ફોરેન્સિક બોર્ડે પોતાનો નિર્ણાયક રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. સૂત્રએ કહ્યું કે એજન્સી સામે રજુ  કરાયેલા આ નિર્ણાયક રિપોર્ટમાં ડોક્ટરોએ કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હળવા પ્રકાશ તરફ પણ ઈશારો કર્યો છે. 

કૂપર હોસ્પિટલ પર ઉઠાવ્યા સવાલ

2/3
image

14 જૂનની રાતે કૂપર હોસ્પિટલના ત્રણ ડોક્ટરોએ મળીને સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ સૂત્રએ આગળ જણાવ્યું કે ડોક્ટરોએ જ્યાં અભિનેતાના પેટમાં મળી આવેલા એક તત્વને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યાં રિપોર્ટમાં મોતનો સમય ન નોંધવા અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. જો કે ઝેરથી અભિનેતાનું મૃત્યુ થયું તે એંગલને ડોક્ટરોએ સંપૂર્ણ રીતે ફગાવ્યો છે.   

CBIએ સાધી ચૂપ્પી

3/3
image

પેટમાંથી મળી આવેલી ચીજો પર ડોક્ટરોએ એટલા માટે તપાસ હાથ ધરી જેથી કરીને તેમને જાણવા મળે કે સુશાંતે 13-14 જૂનની રાતે શું ખાધુ હતું અને સવારે તેણે નાશ્તામાં શું ખાધુ હતું. આ બાજુ સીબીઆઈએ આ  રિપોર્ટ પર એકદમ મૌન જાળવ્યું છે. આ બધા વચ્ચે ડો.સુધીર ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે એમ્સના મેડિકલ બોર્ડે સીબીઆઈને આ કેસમાં ખુબ જ સ્પષ્ટ અને અંતિમ મેડિકો-લીગલ મત સોંપ્યો છે. સીબીઆઈને અપાયેલા રિપોર્ટ અંગે કશું કહી શકાય નહીં અને કોઈની સાથે શેર કરી શકાય નહીં. કારણ કે મામલો 'વિચારાધીન' છે.