ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ : અમેરિકામાં ખુલ્લુ મૂકાશે અમદાવાદ કરતા પણ મોટું અક્ષરધામ

Akshardham In America : આજે અમેરિકામાં B.A.P.S. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મહંત સ્વામીના હસ્તે થશે પ્રાણ પ્રતિષ્ઠા,,, ભારત બહાર વિશ્વના બીજા સૌથી મોટા હિંદુ મંદિરનાં આજથી કરી શકાશે દર્શન,,, ન્યુજર્સીના રોબિન્સ વિલેમાં બનાવાયું છે આ ભવ્ય મંદિર,,,
 

ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ : અમેરિકામાં ખુલ્લુ મૂકાશે અમદાવાદ કરતા પણ મોટું અક્ષરધામ

New Jersey Akshardham temple : આજે વિશ્વના બીજા સૌથી મોટા હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અમેરિકાના ન્યૂ જર્સીમાં BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે મહંત સ્વામી મહારાજના હસ્તે થશે. જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બની રહેશે. અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આ ભવ્ય મંદિર તૈયાર કરાયું છે. 

અમેરિકાના ન્યૂ જર્સીમાં હિંદુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. રોબિન્સ વિલેમાં તૈયાર થયેલા અક્ષરધામ મંદિરનું આજે 8 ઓક્ટોબરે ઉદ્ધાટન કરવામાં આવશે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી 90 કિમી દક્ષિણમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિર કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.      

અમેરિકામાં હિંદુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર છે અને હવે આજે તેનું ઉદ્ધાટન કરાશે. ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.

મંદિરના ઉદઘાટન પહેલા જ અહીં દર્શન માટે રોજ હજારો લોકો આવ્યા હતા. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોના આધારે બનાવવામાં આવ્યું છે, તેમાં 10 હજાર પ્રતિમાઓ છે, તેમજ ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોનું નક્શીમકામ તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ મંદિર કંબોડિયા સ્થિતિ અંકોરવાટ બાદ દુનિયાનું બીજું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.   

12 મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેને યનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર 100 એકરમાં બનાવાયેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news