Chandra Grahan 2023: આજે રાત્રે ચંદ્રગ્રહણ, આ 4 રાશિઓના લોકોના જીવનમાં સર્જાઈ શકે છે ઊથલપાથલ

Chandra Grahan 2023:  આ ચાર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેમના ઉપર સંકટ આવી શકે છે. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે આજે તમને કેટલાક ઉપાય પણ જણાવીએ જેને કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે...

Chandra Grahan 2023: આજે રાત્રે ચંદ્રગ્રહણ, આ 4 રાશિઓના લોકોના જીવનમાં સર્જાઈ શકે છે ઊથલપાથલ

Chandra Grahan 2023: આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થવાનો દુર્લભ યોગ 130 વર્ષ પછી સર્જાયો છે. તેવામાં લોકોમાં પણ ઉત્સુકતા છે કે ગ્રહણની અસર કઈ કઈ રાશિ પર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ ની અસર ચાર રાશિના જાતકો ઉપર સૌથી વધુ જોવા મળશે. આ ચાર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેમના ઉપર સંકટ આવી શકે છે. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે આજે તમને કેટલાક ઉપાય પણ જણાવીએ જેને કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે 

આ પણ વાંચો:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભારતમાં ચંદ્રગ્રહણ રાત્રે 8:44 થી શરૂ થશે અને મોડી રાત્રે 1:01 મિનિટ પર પૂરું થશે. ગ્રહણની સૌથી વધારે અસર 10:52 મિનિટે જોવા મળશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ તેની અસર ભારતમાં થશે.

આજે થનાર ચંદ્રગ્રહણ દરમિયાન મેષ, વૃષભ, કર્ક અને સિંહ રાશિના લોકો ઉપર સંકટ વધી શકે છે. ગ્રહણના પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકોએ ભગવાન શિવના દર્શન કરી તેમની આરાધના કરવી જોઈએ સાથે જ ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news