30 વર્ષ બાદ શનિદેવ થશે વક્રી, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

વક્રી થઈને શનિ દેવ ઉલ્ટી ચાલ ચાલશે. શનિ દેવની ઉલ્ટી ચાલથી ભ્રમણ કરવાથી તેનો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. જો કે 3 રાશિઓ એવી પણ છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનશે. આ સાથે જ લોકો પર શનિદેવના વિશેષ આશીર્વાદ રહેશે. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો. 

30 વર્ષ બાદ શનિદેવ થશે વક્રી, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ વર્ષ 2024માં આખુ વર્ષ કુંભ રાશિમાં ભ્રમણ કરશે. જ્યારે જૂનમાં તેઓ વક્રી અવસ્થામાં પણ ભ્રમણ કરશે. વક્રી થઈને શનિ દેવ ઉલ્ટી ચાલ ચાલશે. શનિ દેવની ઉલ્ટી ચાલથી ભ્રમણ કરવાથી તેનો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. જો કે 3 રાશિઓ એવી પણ છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનશે. આ સાથે જ લોકો પર શનિદેવના વિશેષ આશીર્વાદ રહેશે. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો. 

મેષ રાશિ
શનિ દેવનું વક્રી રીતે ચાલવું એ તમારા માટે  લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ  તમારી રાશિથી આવક ભાવ પર વક્રી થશે. જેનાથી તમારા લોકોની આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આ દરમિયાન તમે જેટલા પણ પ્રોજેક્ટમાં રોકાણ કરશો તે આગળ જઈને તમને સારું રિટર્ન આપશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત સર્જાશે. વેપારીઓ કોઈ નવી ડીલ કરી શકે છે. જે ભવિષ્યમાં ખુબ ફાયદો  કરાવશે. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. કરિયરમાં તમારી મહત્વકાંક્ષાઓ પૂરી થશે. 

મકર રાશિ
તમારા માટે શનિદેવનું વક્રી થવું એ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ એક તો તમારી રાશિના સ્વામી છે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર વક્રી થશે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં ઊંચી છલાંગ લાગશે અને તમને મનગમતો મુકામ મળશે. આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. વેપારીઓને ફસાયેલું ધન પાછું મળશે. જો તમારી કરિયર મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી હોય તો આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. 

વૃષભ રાશિ
શનિદેવનું ઉલ્ટું ચાલવું એ વૃષભ રાશિવાળાને કરિયર અને કારોબારની રીતે ખુબ શુભ કરાવી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવમાં વક્રી થશે. આથી જે લોકો અભ્યાસ પૂરો કરીને જોબ શોધે છે તેમને શનિદેવ નવી નોકરી અપાવી શકે છે. આ સાથે જ જો તમે વેપારી હશો અને કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હશો તો આ ગોચર  તમારા માટે ખુબ શુભદાયી સાબિત થશે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news