Sankashti Chaturthi 2024: જીવનના તમામ સંકટો દૂર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત

Sankashti Chaturthi 2024: જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે. 

Sankashti Chaturthi 2024: જીવનના તમામ સંકટો દૂર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત

Sankashti Chaturthi 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંકટ ચતુર્થીનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે સંકટ ચતુર્થી 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે. 

જો આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો બાળકનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને શ્રી ગણેશ તેને લાંબા આયુષ્યનું આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ સંકટ ચોથના દિવસે વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત વિશે....

100 વર્ષ પછી બની રહ્યા છે સંયોગો
આ વર્ષે 100 વર્ષ પછી સંકટ ચોથ પર શુભ અને ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, ધન રાશિમાં શુક્ર, મંગળ અને બુધની યુતિને કારણે ત્રિગ્રહી યોગ બનશે જે ત્રણેય રાશિઓને લાભ આપશે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

સંકટ ચતુર્થીનું શુભ મુહૂર્ત 
આ દિવસે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી (Sankashti Chaturthi 2024) તિથિ 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2024) 29 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9.10 કલાકનો રહેશે.

સંકટ ચતુર્થીનું ધાર્મિક મહત્વ
સંકટ ચતુર્થી ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પણ વિરોધ રાખી શકાય છે. સંકટ ચતુર્થી નું વ્રત સુખ સૌભાગ્ય આપનાર હોય છે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો આ દિવસે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી સંતાન પ્રાપ્ત થશે. 

આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશ અને સાકત માતાની પૂજા કરવામાં આવે છે. સકટ ચોથ (Sakat Chauth 2024) ને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, માહી ચોથ અને તિલ કુટા ચોથ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ માતાઓ તેમના બાળકો માટે વ્રત રાખે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે.

સંકટ ચતુર્થીની પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરીને ગણપતિજીની પૂજાનો પ્રારંભ કરવો. સૌથી પહેલા પૂજા સ્થળને સાફ કરવું અને ત્યાર પછી હાથમાં જલ લઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી ભગવાન ગણેશની મૂર્તિ ને હળદરનું તિલક કરવું અને તેમને દુર્વા તેમજ ફુલ અર્પણ કરવા. ઘી નો દીવો પ્રજ્વલિત કરવો. ત્યાર પછી વ્રત કથા વાંચી અને ગણેશજીની આરતી કરવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news