WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન

આગામી 22 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ માટે તમામ સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડેની ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોની ટીમમાં રોહિત શર્મા, રિષભ પંત, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

ભારતની વનડે ટીમ
શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સંજૂ સેમસન, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

— BCCI (@BCCI) July 6, 2022

India vs West Indies ODI Schedule 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 22થી 27 જુલાઈ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તમામ મેચ ત્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. પ્રથમ મેચ 22, બીજી મેચ 24 અને ત્રીજી મેચ 27 જુલાઈએ રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news