Sourav Ganguly: કોરોના કાળમાં IPL, ઓસ્ટ્રેલિયામાં જીત, ગાંગુલીએ જતાં જતાં પોતાની સિદ્ધિઓ ગણાવી

Indian Team: BCCI ના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીની વિદાય નક્કી થઈ ગઈ છે. ત્યારબાદ એક કાર્યક્રમમાં બોલતા સૌરવ ગાંગુલીએ પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી છે.

Sourav Ganguly: કોરોના કાળમાં IPL, ઓસ્ટ્રેલિયામાં જીત, ગાંગુલીએ જતાં જતાં પોતાની સિદ્ધિઓ ગણાવી

નવી દિલ્હીઃ Sourav Ganguly BCCI President: બીસીસીઆઈમાંથી તેમની વિદાય અંગેની ચર્ચાઓ વચ્ચે, બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે કહ્યું કે તેઓ હંમેશા પ્રશાસક બની શકતા નથી અને નકારવું એ જીવનનો એક ભાગ છે. બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં ગાંગુલીની જગ્યાએ 1983 વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીનું અધ્યક્ષ બનવાનું નક્કી છે. જતા-જતા ગાંગુલીએ પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી છે. 

સૌરવ ગાંગુલીએ આપ્યું નિવેદન
સૌરવ ગાંગુલીએ અહીં બંધન બેંકની એક ઈવેન્ટ બાદ કહ્યું, 'તમે કાયમ રમી શકતા નથી. હંમેશા એડમિનિસ્ટ્રેટર ન બની શકો પરંતુ બંનેએ નોકરીનો આનંદ માણ્યો. સિક્કાની બંને બાજુ જોવાનું રસપ્રદ હતું. ભવિષ્યમાં કંઈક મોટું કરીશ.’ તેણે કહ્યું, ‘હું ક્રિકેટરોનો એડમિનિસ્ટ્રેટર હતો. એટલું બધું ક્રિકેટ થઈ રહ્યું છે કે નિર્ણયો લેવા પડે છે. તેની સાથે ઘણા પૈસા જોડાયેલા છે. મહિલા ક્રિકેટ છે, ડોમેસ્ટિક ક્રિકેટ છે. ક્યારેક નિર્ણયો લેવા પડે છે.

બધાના જીવનમાં હોય છે પરીક્ષા
સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદે યથાવત રહેવા ઈચ્છતા હતા, પરંતુ તે બની શક્યું નહીં. જય શાહ સચિવ પદે યથાવત રહેશે. ગાંગુલીએ કહ્યું- મારા માટે જીવન વિશ્વાસથી જોડાયેલું છે. દરેકની પરીક્ષા થાય છે અને તેના ભાગનો પુરસ્કાર મળે છે અને દરેકને નકારવામાં પણ આવે છે, આ જીવનનું ચક્ર છે. પરંતુ તમારે તમારી ક્ષમતા પર વિશ્વાસ કરવાનો હોય છે, જેનાથી તમે આગળ વધો છો. ગાંગુલી સૌથી પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશનમાં સચિવના રૂપમાં હતા. ત્યારબાદ તેઓ અધ્યક્ષ પણ બન્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપ્યું
સફળતા મેળવવા વિશે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું- જીવન, સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓના નાના-નાના લક્ષ્ય વિશે નથી. તમે એક દિવસમાં સચિન તેંડુલકર, અંબાણી કે નરેન્દ્ર મોદી ન બની શકો. તેમણે કહ્યું- તમારે તમારૂ જીવન, સમય, દિવસ, સપ્તાહ અને મહિના આપવા પડે છે. આ સફળતાની ચાવી છે. 

પોતાના કાર્યકાળની સિદ્ધિઓ વર્ણવી
ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદે પોતાના કાર્યકાળ વિશે કહ્યું- મને તે ખુબ સારૂ લાગ્યું. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વસ્તુ થઈ. કોરોના કાળમાં આઈપીએલનું આયોજન થયું, જે દેશ માટે મુશ્કેલ સમય હતો. પ્રસારણના અધિકાર રેકોર્ડ ભાવે વેચાયા. તેમણે કહ્યું- અન્ડર-19 ટીમ વિશ્વકપ જીતી. મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો સીનિયર ટીમે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. આ પ્રશાસક તરીકે સોનેરી ક્ષણ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news