ઉપમુખ્યમંત્રી News

ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં દિવાળીનું વાતાવરણ છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે આવી ચુક્યા છે. ત્યારે ભાજપના વધારે એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા. 
Nov 14,2020, 18:32 PM IST

Trending news