તાંત્રિક વિધિ News

પરિવારમાંથી કલેશ દુર કરવા અને જમીન ઝડપથી વેચવાના બહાને ખેડૂત સાથે 24.80 લાખ
હું તારુ સંકટ દૂર કરીશ હવે ચિંતા કરવાની જરૂર નથી તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના એક ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. આ ઉપરાંત 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર  એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેવાતા હોવાથી પરેશાન હતા. તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ કેસરી કલરના ભાગવા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે તેમ જણાવ્યું હતું. 
Sep 17,2020, 21:27 PM IST

Trending news