રૂપાણી સરકાર News

25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલા RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો
આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આર.આર સેલને (રેપિડ રિસ્પોન્સ સેલ) રદ્દ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ગૃહવિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એસીપી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ અમદાવાદ રેન્જ IG ના તાબા હેઠળના આર.આર સેલનો કર્મચારી 50 લાખનો વહીવટ કરવા માટે ગયો અને પોલીસનાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે આર.આર સેલના દુરૂપયોગનો એક કિસ્સો હતો. જો કે તપાસ વધારે થાય તે પહેલા આર.આર સેલના વડા એટલે તત્કાલીન રેન્જ આઇજી કે.જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. જો કે હવે રાજ્ય સરકારે આ બાબતનું ભાન થયું હોય તેમ 25 વર્ષતી ચાલતા આર.આર સેલને કાયમ માટે બંધ કરી દેવાયો છે. 
Jan 22,2021, 18:17 PM IST

Trending news