વ્યાજખોરો News

દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારાઓની હવે ખેર નથી, આકરી કાર્યવાહી થશે
હવે દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનાર વ્યાજખોરોને પાસા થશે. વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ ગુના રોકવા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા પરિપત્ર બહાર પાડ્યો છે. હવે લાઈસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં. જ્યારે લાઈસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા લેવાશે. જે ગુના હેઠળ વ્યાજખોરને બે વર્ષની સજા અને 25 હજારનો દંડ ઉપરાંત તેમની મિલકત પણ જપ્ત કરાશે. જો કોઈ વ્યાજખોરે વ્યાજના પૈસાની મિલકતો વસાવી હોય તો તેવી મિલકતો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે. આવી મિલકતો વિશે ઈડી તેમજ સીઆઈડી ક્રાઈમને જાણ કરી મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે. પાછલા વર્ષે માર્ચથી ડિસેમ્બર મહિના સુધીમાં વ્યાજખોરો સામે 26 ગુના નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસના 3 કિસ્સા બન્યા છે.
Jan 31,2020, 9:35 AM IST

Trending news