શંભુપ્રસાદ ટુંડિયા News

રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) ને લઈ ભાજપની કવાયત તેજ થઈ છે. બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ વિચારણા કરી રહ્યું છે, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શંભુપ્રસાદ ટૂંડિયાને બીજેપી (BJP) રિપીટ નહિ કરે અને તેમના સ્થાને આત્મારામ પરમાર અને રમણલાલ વોરાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે, તો બીજા ઉમેદવાર તરીકે ભાજપ ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી શકે છે. હાલ ભાજપના રાજ્યસભામાં બે પાટીદાર, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસસી-એસટી નેતાઓનું સ્થાન છે. ભાજપના એક ક્ષત્રિય, એક એસસી-એસટી અને એક ઓબીસી નેતાની બેઠક ખાલી થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા એસસી-એસટી, ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે, અને જો ભાજપ ત્રણ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો 1 એસસી-એસટી (SC-ST), 1 ઓબીસી (OBC) અને 1 પાટીદાર નેતાને ટિકિટ આપી શકે છે.
Mar 9,2020, 19:02 PM IST

Trending news