Confusion News

ભાદરવી અંગે અસમંજસ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો, 1 કિલોમીટર લાંબી ધજા ચડાવાઇ
યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. તેના મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારની આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં માં અંબાનું તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે.
Sep 4,2021, 19:30 PM IST

Trending news