Farmers of gujarat News

ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર:ચાવડા
રાજ્યના ખેડૂતોને તીડના લીધે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. ચાવડાએ કહ્યુ કે સરકારની ગંભીર બેદરકારી અને અણઘડ આવડતના લીધે આ સ્થિતિ પેદા થઇ છે. થોડા સમય પહેલાં વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્યે તીડ અંગે ભય અને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ગમે ત્યારે તીડનું આક્રમણ થઇ શકે છે એવા સંજોગોમાં રાજ્યા સરકારે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. પાકિસ્તાનથી તીડ નીકળ્યાની ગણતરીના સમયમાં માહિતી મળી હતી, પણ સરકાર આ આફતને ન અટકાવી શકી. જો સરકારે ધ્યાને લીધું હોત તો આ સ્થિતિ ના હોત. આજે પણ સરકાર પાસે તીડને કંટ્રોલ કરવાનુ કોઇ નક્કર આયોજન નથી. તીડના નામે માત્ર માધ્યમમાં ચમકવા માટે થાળી અને ઢોલ વગાડવાની પ્રક્રિયા કરી છે. 
Dec 27,2019, 21:27 PM IST

Trending news