Police complaint News

સ્વામીનારાયણ સાધુના મનમાં વાસના સળવળી, કિશોરો પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની માંગ કરી
ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ચર્ચામાં આવ્યા છે. ગારીયાધારની ગુરુકુલ ખાતે ન્હાવા ગયેલ વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. ગારીયાધારના ગુરુકુલમાં ન્હાવા પડેલ માસુમ કિશોરો પાસે ગુરુકુલના કોઠારીએ ન્હાવાના બદલામાં રૂપિયા માંગતાં રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કિશોર પાસે માંગ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ગુરુકુલ ખાતે સ્વામી પાસે ચર્ચા માટે જતા તેઓને માર માર્યો હતો. આ બાબતે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 
Jun 5,2022, 12:22 PM IST

Trending news