Shivaji News

કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? શિવાજીની તલવારનો ઈતિહાસ
"એકવાર મ્યાનમાંથી નીકળે તલવાર, તો ભોગવવો જ પડે છે અંજામ" તલવારને ભગવાનની જેમ પૂજે છે ક્ષત્રિય સમાજના લોકો.જેને શસ્ત્ર પૂજા કહે છે.તલવારને લઈને ક્ષત્રિયો કેટલાક નિયમો પાડતા હતા.જાણો શું છે એ નિયમ.સાથે એ પણ જાણો કે કયા રાજા કઈ તલવાર વાપરતા હતા. એક પક્તિ છેકે, मिम्यक्ष येषू सुधिता ध्रुताची हिरण्यनिर्णीगुपरा न रुष्टा I गुहा चरन्ति मनुषो न योषा सभावती विदथ्येव सं वाक् II મેઘ મંડળમાં સ્થિત વિધુત એટલેકે વીજળી સમાન, ક્ષત્રિયોના મજબૂત હાથોમાં સોનાની જેમ ચળકાટ કરતી તલવાર આવરણમાં એટલેકે મ્યાનમાં, મર્યાદામાં રહેતી સ્ત્રી સામાન છુપાઈ રહે છે, એ વિદ્વાનોની વાણીની જેમ વિશિષ્ટ પરિસ્થિતિમાંજ બહાર આવે છે. આમ ક્ષત્રિય જેમ તેમ તલવાર બહાર  કાઢતા નથી.
Jan 5,2021, 16:59 PM IST

Trending news