Tantric rituals News

તાંત્રીકે ચાદર પર 10ની નોટ મુકીને 110 રૂપિયા કરી દીધા અને વેપારીએ આપી દીધા 21 લાખ રૂ
વડોદરામાં અંધશ્રદ્ધાનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા એક ઈસમે ધંધો વધારવાની લાલચમાં તાંત્રિકનો સહારો લીધો અને પછી તાંત્રિકે વિધિના બહાને થોડાથોડા કરી 21 લાખ રૂપિયા પડાવી લેતા મેનેજરને પછતાવવાનો વારો આવ્યો છે.શહેરના અકોટા વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ શર્મા થોડા સમય અગાઉ ઉજૈન ખાતે દર્શન અર્થે ગયા હતા. જ્યાં એક રીક્ષા વાળા થકી તેમની મુલાકાત રાજેશ શાસ્ત્રી નામના ઈસમ સાથે થઈ હતી. રાજેશ શાસ્ત્રી પોતે તાંત્રિક હોઈ વિધિના માધ્યમ થકી સમસ્યાનું સમાધાન લાવી આપવાની વાત કરી હતી. બાદમાં ચમત્કારના નામે લોટમાંથી સિંદૂર બનાવ્યું હતું. સાથે સાથે રૂ 10 ની નોટ પર ચાદર મૂકી 110 રૂપિયા કરી બતાવ્યા હતા.જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી જતા વિધિ માટે સંમતિ દર્શાવી હતી.
Feb 20,2021, 18:06 PM IST

Trending news