Virtual rally News

દેશના PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે,કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલી
ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલી યોજી પેટા ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રેલીનું સંબોધન કરી ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજયમાં ખેડૂત વિદ્યાર્થી યુવા મહિલા અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિને ઉજાગર કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે, સમાજના તમામ વર્ગ અને વિસ્તારના લોકો સરકારની નિતિ અને નિયતથી ત્રસ્ત છે.  પ્રજાના આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાની નિતિના કારણે કોરોનાનુ આગમન થયું અને નમસ્તે ભાઉના કારણે સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર છીનવાયા કોરેનામાં લોકોને આશા હતી કે સરકારની સારી આરોગ્ય સેવા મળશે.
Oct 9,2020, 18:09 PM IST

Trending news