આ ચૂંટણી રેલી નથી, હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે: અમિત શાહ

કોરોના સંક્ટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ચુઅલ રેલીની શરૂઆત કરી છે. રવિવારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહએ પ્રથમ વર્ચુઅલ રેલી બિહાર જનસંવાદને સંબોધિત કરી. તેમના સંબોધનમાં શાહે કહ્યું કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર રચાશે. હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે, પરંતુ આ કોઈ ચૂંટણી બેઠક નથી, અમારો હેતુ દેશના લોકોને એક કરવા અને કોરોના સામે એકતાપૂર્વક લડવાનો છે.
આ ચૂંટણી રેલી નથી, હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે: અમિત શાહ

નવી દિલ્હી: કોરોના સંક્ટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ચુઅલ રેલીની શરૂઆત કરી છે. રવિવારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહએ પ્રથમ વર્ચુઅલ રેલી બિહાર જનસંવાદને સંબોધિત કરી. તેમના સંબોધનમાં શાહે કહ્યું કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર રચાશે. હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે, પરંતુ આ કોઈ ચૂંટણી બેઠક નથી, અમારો હેતુ દેશના લોકોને એક કરવા અને કોરોના સામે એકતાપૂર્વક લડવાનો છે.

અમિત શાહે કહ્યું કે, દેશના 130 કરોડ લોકો પ્રધાનમંત્રી મોદી સાથે કોરોનાની લડાઇમાં ખડકની જેમ ઉભા છે. દેશનો કોઈ પણ ખૂણો, તેના વિકાસના પાયામાં બિહારની વ્યક્તિના પરસેવાની મહેક છે, જે તેમનું અપમાન કરે છે તે સ્થળાંતર મજૂરોના જુસ્સાને સમજી શકતા નથી.

શાહે કહ્યું કે હું આજે પરિવારવાદના સભ્યોને કહું છું કે તમારો ચહેરો અરીસામાં જોવો, બિહારનો વિકાસ દર 1990-2005માં તેમના શાસનમાં 3.19 ટકા હતો, આજે નીતીશ કુમારના નેતૃત્વમાં, તે 11.3 ટકા સુધી પહોંચાડવાનું એનડીએ સરકારે કર્યું છે.

અમિત શાહે કહ્યું કે, નીતિશ કુમાર અને સુશીલ મોદી બંને પ્રસિદ્ધિ કરવામાં થોડો કાચ્ચા છે. તેઓ રસ્તા પર ઉભા રહીને થાડી વગાડતા નથી. તેઓ ચુપચાપ સહાયતા માટે કામ કરતા લોકો છે. તેમના નેતૃત્વમાં બિહાર સરકારે આ લડાઇ ખૂબ સારી રીતે લડી છે. શાહે કહ્યું હતું કે, બિહાર માટે અમે આપેલા 1.25 લાખ કરોડ રૂપિયાનું પેકેજ, અમે તેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું કર્યું છે.

તેમના સંબોધન દરમિયાન વિપક્ષ પર હુમલો કરતા શાહે કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશાં ખેડૂતોનું દેવું માફ કરતા હતા. જો તેમની સરકાર 10 વર્ષ રહી હતો તો તેઓ દાવો કરે છે કે લગભગ 3 કરોડ ખેડૂતોની 60 હજાર કરોડની લોન માફ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિ દ્વારા પીએમ મોદીએ દર વર્ષે 9.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 72,000 કરોડ નાખવાની વ્યવસ્થા કરી.

આરસીઇપીની ચર્ચા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આને કારણે નાના ખેડુતો, માછીમારો, નાના વેપારીઓ, નાના ઉદ્યોગો આ બધાને નષ્ટ થઈ જતા, પરંતુ પ્રધાનમંત્રીએ નાના ખેડૂતો, નાના વેપારીઓના હિતમાં કડક નિર્ણય લીધો હતો અને ભારતને આરસીઈપી કરારથી અલગ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news