તાહિર હુસૈન News

તાહીરનાં ઘરેથી હિંસક સામાન મળ્યો માટે તેની અને કપિલની સરખામણી ન કરી શકાય: પ્રસાદ
દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે રાજનેતાઓનાં નિવેદનો ચર્ચાનો વિષય બનેલા છે. વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવાઇ રહ્યો છે. ભાજપ હવે આમ આદમી પાર્ટીનાં તાહિર હુસૈન પર નિશાન સાધી રહી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે હવે કહ્યું કે, પાર્ટીએ ભડકાઉ નિવેદનોને ખોટા ગણાવ્યા છે, પરંતુ તાહિર હુસૈનનાં ઘરેથી હિંસાત્મક વસ્તુઓ મળી આવી છે. જેથી આ બંન્ને ઘટનાઓની તુલના થઇ શકે નહી. શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ ચુકી છે. લોકોને ભડકાવવાનો આરોપ છે. હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમનાં ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, એવામાં આ બંન્નેની તુલના કઇ રીતે થઇ શકે. 
Feb 28,2020, 16:31 PM IST

Trending news