ગુજરાતી ન્યૂઝWorld400 વર્ષ જૂની ચુડેલ! કબરની અંદર પગમાં તાળા, ગળામાં લોખંડની સાંકળ, જાણો શું છે આ મહિલાની કહાની?

400 વર્ષ જૂની 'ચુડેલ'! કબરની અંદર પગમાં તાળા, ગળામાં લોખંડની સાંકળ, જાણો શું છે આ મહિલાની કહાની?

Shocking News: પોલેન્ડના ઉત્તરી ભાગમાં સ્થિત પિયનમાં લોકોનું માનવું છે કે એક કબ્રિસ્તાનમાં દફન જોશિયાને ક્યારેય પણ મૃત્યું પછી પાછા આવવાનો અવસર મળ્યો નથી, કારણ કે તેના પગમાં એક તાળું અને ગળામાં ચારેબાજુ એક લોખંડની સિકલ બાંધેલી હતી, સ્થાનિક લોકો તેને "વેંપાયર" માનતા હતા.
 

400 વર્ષ જૂની 'ચુડેલ'! કબરની અંદર પગમાં તાળા, ગળામાં લોખંડની સાંકળ, જાણો શું છે આ મહિલાની કહાની?

400 Year Old Polish Vampire Zosia: પોલેન્ડના ઉત્તરી ભાગમાં સ્થિત પિયનમાં લોકોનું માનવું છે કે એક કબ્રિસ્તાનમાં દફન જોશિયાને ક્યારેય પણ મર્યા પછી પાછો આવવાનો અવસર મળ્યો નથી, કારણ કે તેના પગમાં એક તાળું અને ગળામાં ચારેબાજુ એક લોખંડની સિકલ બાંધવામાં આવી હતી, જેણે સ્થાનિક લોકો વૈંપાયર માનતા હતા. હવે વૈજ્ઞાનિકોની એક ટીમે ડીએનએ, 3ડી પ્રિન્ટિંગ અને મોડલિંગ ક્લેનો ઉપયોગ કરીને જોશિયાના 400 વર્ષ જૂના ચહેરાને પુનનિર્માણ કર્યું છે. આ કહાની તે લોકો માટે એક માનવીય દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરે છે, જે તેના પ્રતિ સુપરનેચુરલ વિશ્વાસોના કારણે અજ્ઞાત રહી ગયા.

400 વર્ષ જૂની પોલિશ વૈંપાયર
સ્વીડિશ પુરાતત્વવિદ્ ઓસ્કર નીલ્સને કહ્યું, "આ એક રીતે ખૂબ જ વ્યંગાત્મક છે. જે લોકોએ તેને દફનાવ્યા, તેઓએ તેને પાછા આવવાથી રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા અને અમે તેને ફરીથી જીવિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ." જોસિયાની શોધ 2022માં ટોરુનની નિકોલસ કોપરનિકસ યુનિવર્સિટીના પુરાતત્વવિદોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેનું અવસાન થયું હતું ત્યારે તેની ઉંમર લગભગ 18 થી 20 વર્ષની હતી. તેની ખોપરીનું વિશ્લેષણ દર્શાવે છે કે તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતી, જેના કારણે તેને બેહોશી અને ગંભીર માથાનો દુખાવો તેમજ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.

Add Zee News as a Preferred Source

વૈજ્ઞાનિકોએ 'વૈંપાયર' જોશિયાનો ચહેરો ફરી બનાવ્યો
કબરની પાસે મળેલી સિકલ, તાળા અને અમુક પ્રકારના લાકડાને વેમ્પાયર સામે રક્ષણ માટે જાદુઈ ગુણના રૂપમાં માનવામાં આવતી હતી. જોસિયાની કબર પિયનના અનામ કબ્રસ્તાનમાં કબર નંબર. 75 હતી. સ્થળ પરથી મળી આવેલા અન્ય મૃતદેહોમાં એક "વેમ્પાયર" બાળકનો સમાવેશ થાય છે, જેને તેના પગમાં તાળું મારીને, મોઢું નીચે તરફ દફનાવવામાં આવ્યું હતું. જોસિયાના જીવન વિશે બહુ જાણીતું નથી, પરંતુ નીલ્સન અને તેની ટીમ માને છે કે તેની સાથે દફનાવવામાં આવેલી વસ્તુઓ દર્શાવે છે કે તે શ્રીમંત, સંભવતઃ કુલીન, કુટુંબમાંથી હતી. 17મી સદીમાં યુરોપ યુદ્ધથી પ્રભાવિત થયું, જેણે એક એવું વાતાવરણ બનાવ્યું જેમાં સુપરનેચુકલ દાનવો પર વિશ્વાસ સામાન્ય હતો.

નીલ્સનને જોશિયાના ચહેરાને પુનનિર્માણની પ્રક્રિયામાં સૌથી પહેલા તેની ખોપડીની 3ડી પ્રિન્ટેડ નકલ બનાવી. ત્યારબાદ તેમણે પ્લાસ્ટિસીન ક્લેનો ઉપયોગ કરીને એક જીવંત ચહેરો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. તેમણે હાડકાની સંરચના, લિંગ, જાતીયતા અને આશરે વજનની જાણકારીનો ઉપયોગ કરીને ચહેરાની ઊંડાઈનો અંદાજ કાઢ્યો.

નીલ્સને કહ્યું કે, આ ભાવનાત્મક છે જ્યારે તમે એક ચહેરાને પાછો આવતા જોવો છે, ખાસ કરીને જ્યારે તમે આ યુવા યુવતની કહાની જાણો છો. તેમનો ઉદ્દેશ્ય જોશીયાને એક વ્યક્તિના રૂપમાં પાછી લાવવાનો છે, ના કે તે દાનવના રૂપમાં જેના રૂપમાં તેણે દફનાવવામાં આવી છે. આ પુનનિર્માણે જોશિયાની માનવતાને ફરીથી ઉજાગર કરી છે, જે સમયની સાથે ખોવાઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news