Russia-Ukraine War Live Update: કીવ પર કબજાની જંગ થઇ તેજ, રશિયન સેનાની એન્ટ્રી બાદ અંડરગ્રાઉન્ડ થઇ રહ્યા છે લોકો

આજે ત્રીજા દિવસે પણ યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન સમાચાર છે કે રશિયાની સેના રાજધાની કીવમાં દાખલ થઇ ગઇ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે આગામી કલાકોમાં રશિયા યૂક્રેનની રાજધાની કીવ પર કબજો કરી શકે છે.

Russia-Ukraine War Live Update: કીવ પર કબજાની જંગ થઇ તેજ, રશિયન સેનાની એન્ટ્રી બાદ અંડરગ્રાઉન્ડ થઇ રહ્યા છે લોકો

Ukraine Russia war Live Updates: આજે ત્રીજા દિવસે પણ યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન સમાચાર છે કે રશિયાની સેના રાજધાની કીવમાં દાખલ થઇ ગઇ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે આગામી કલાકોમાં રશિયા યૂક્રેનની રાજધાની કીવ પર કબજો કરી શકે છે. આ આ દરમિયાન યૂરોપીય સંઘ અને અમેરિકાએ રશિયા પર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવવાની વાત કહી છે. લગ્ઝમબર્ગના વિદેશ મંત્રી જીન એસેલબોર્નએ દાવો કર્યો કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની સંપત્તિઓ જલદી જપ્ત થઇ શકે છે. 27 દેશોવાળા યૂરોપીય સંઘ આ સંબંધમાં સહમતિ સાથે એકદમ નજીક છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ લાઇવ અપટેડ

કિવમાં સંઘર્ષ તેજ
સતત ત્રણ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયન સૈનિકો શનિવારે યુક્રેનની રાજધાની કિવમાં રાતભર વિસ્ફોટો અને શેરીઓમાં હંગામો કર્યા બાદ ઘૂસી ગયા હતા અને સંઘર્ષ હવે ઉગ્ર બન્યો છે. તો બીજી તરફ સંઘર્ષ વધતા યુક્રેનના નાગરિકો હવે ભૂગર્ભ આશ્રયસ્થાનો શોધી રહ્યા છે.

યુક્રેનથી ભારત પરત આવેલા 219 લોકોને મળવા માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પોતે એરપોર્ટ પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ ભારત પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

Glad to see the smiles on the faces of Indians safely evacuated from Ukraine at the Mumbai airport.

Govt. led by PM @NarendraModi ji is working relentlessly to ensure safety of every Indian. pic.twitter.com/fjuzjtNl9r

— Piyush Goyal (@PiyushGoyal) February 26, 2022

યુક્રેનથી ભારત આવ્યા નાગરિકો
યુક્રેનથી ઉડાન ભરેલું પ્લેન હવે ભારતના મુંબઈ પહોંચ્યું છે. તેમને ભારત પરત લાવવા માટે ભારત સરકારે વિશેષ વિમાનની વ્યવસ્થા કરી હતી. આ પ્રથમ બેચમાં 219 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.

— ANI (@ANI) February 26, 2022

યુક્રેનને $350 ની તાત્કાલિક સહાય
યુ.એસ. સ્ટેટ સેક્રેટરી, એન્ટોની બ્લિંકને જણાવ્યું હતું કે યુએસ સંરક્ષણ વિભાગ રશિયાને બિનજરૂરી યુદ્ધથી પોતાને બચાવવામાં મદદ કરવા યુક્રેનને તાત્કાલિક લશ્કરી સહાયમાં વધારાની $350 મિલિયનની મદદ કરશે.

ફ્રાન્સે જપ્ત કર્યું રશિયન જહાજ!
એક સરકારી અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે ફ્રેન્ચ મેરીટાઇમ પોલીસે શનિવારે (26 ફેબ્રુઆરી) એક જહાજ જપ્ત કરી લીધું, જેના વિશે અધિકારીઓને શંકા છે કે યુક્રેનમાં યુદ્ધ પર ઇયુના પ્રતિબંધો દ્વારા નિશાન બનાવવામાં આવેલી રશિયન કંપનીનું છે.

હવે લતવિયાએ પણ લગાવી વાયુ સીમાની પાબંધી
યુરોપિયન દેશ લતવિયા પણ તેના દેશની વાયુ સીમામાં રશિયન એરક્રાફ્ટના પ્રવેશ પર પ્રતિબંધ લાદશે. લતવિયાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તાલિસ લિંકિયાટીસે જણાવ્યું કે લતવિયા સરકારે રશિયન એરક્રાફ્ટને લતવિયાના એરસ્પેસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. લતવિયા તેના દેશના એરસ્પેસમાં રશિયન એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકનાર છઠ્ઠો દેશ બનશે. અગાઉ, બ્રિટન, બલ્ગેરિયા, પોલેન્ડ, એસ્ટોનિયા અને ચેક રિપબ્લિકે રશિયન વિમાનોને તેમના દેશના એરસ્પેસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજધાની કિવમાં કર્ફ્યુ
વધતા ખતરાને જોતા યુક્રેનની રાજધાની કિવમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજધાનીમાં 26 ફેબ્રુઆરીથી સાંજે 5:00 થી સવારે 8:00 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. હાલમાં આ કર્ફ્યુ 28 ફેબ્રુઆરીની સવાર સુધી લાગુ કરવામાં આવી રહ્યો છે. કર્ફ્યુ દરમિયાન રસ્તા પર આવતા તમામ નાગરિકોને દુશ્મન તોડફોડ અને જાસૂસી જૂથોના સભ્યો ગણવામાં આવશે. વહીવટીતંત્રનું કહેવું છે કે કૃપા કરીને પરિસ્થિતિને સમજીને વર્તન કરો અને બહાર ન નીકળો.

યુક્રેન છોડીને પોલેન્ડ પહોંચી રહ્યા છે લોકો
પોલેન્ડના નાયબ ગૃહ પ્રધાન પાવેલ ઝેફર્નકર કહે છે કે આ અઠવાડિયે રશિયાના આક્રમણ બાદથી 100,000 લોકોએ યુક્રેનથી પોલેન્ડમાં સરહદ પાર કરી છે. યુક્રેનિયનો પોલેન્ડ સાથે પ્રઝેમિસલ બોર્ડર પોસ્ટ પર પહોંચ્યા છે.

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે રશિયન સેના કિવ પર તેના દળો સાથે આગળ વધી રહી છે, જે હવે શહેરના કેન્દ્રથી 30 કિમી દૂર છે. યુક્રેનની સશસ્ત્ર દળોએ સમગ્ર દેશમાં મજબૂત પ્રતિકાર ચાલુ રાખ્યો છે.

યુક્રેને દુશ્મનના હુમલાને  કર્યો નિષ્ફળ
યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમની સેના આક્રમણકારો સાથે યુદ્ધમાં છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે અમે શાંતિથી રહી શકીએ છીએ અને અમે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. યુક્રેન તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એવા કોઈપણ નાગરિકને હથિયાર આપવા માટે તૈયાર છે જે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી યુદ્ધ લડવા માંગે છે.

રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના લગભગ 200 લોકો માર્યા ગયા, 1000 થી વધુ ઘાયલ
યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 198 નાગરિકોના મોત થયા છે. જ્યારે 1015 નાગરિકો ઘાયલ થયા છે. આમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે 33 બાળકો ઘાયલ થયા છે.

યુક્રેન સંકટ પર ભારતની નજર
ભારત સરકાર કોઈપણ કટોકટી ઉર્જા સંકટનો સામનો કરવા માટે તૈયાર છે. સરકારે કહ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવશે. તેલ સંકટનો સામનો કરવા માટે જરૂર પડ્યે સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી પણ તેલ પણ રિલિઝ કરવામાં આવશે.

યૂક્રેનમાં સામાન્ય લોકોનો રશિયા પર ગુસ્સો નિકળી રહ્યો છે. યૂક્રેનના લોકો હુમલો કરવા આવેલા એક રશિયન સૈનિકને પકડી લીધો, લોકોએ તેને કાન પકડાવ્યા. 

યૂક્રેનમાં ફસયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને આવી રહેલી પહેલી ફ્લાઇટ 219 વિદ્યાર્થીઓને લઇને રોમાનિયાથી મુંબઇ રવાના થઇ ગઇ છે. 

યૂક્રેનની સેના પ્રમુખે મોટો દાવો કર્યો છે 24 કલાકમાં રશિયાને કોઇ ફાયદો થશે નહી. તેમણે કહ્યું કે આજની રાત ભારે રહેશે. 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈંક્રોએ ચેતાવણી આપી છે દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો વધી ગયો છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ લાંબું ચાલશે, દુનિયા લાંબા યુદ્ધ માટે તૈયાર રહે. 

- યુક્રેનના સેના પ્રમુખે મોટો દાવો કર્યો છે કે 24 કલાકમાં રશિયાને કોઈ ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે, આજની રાત ભારે થવાની છે. 

- ફ્રાન્સના રાષ્ટ્રતિ મૈંક્રોએ આપી ચેતવણી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈંક્રોએ ચેતવણી આપી છે કે દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો વધી ગયો છે. તેમણે કહ્યું કે, યુદ્ધ લાંબુ ચાલશે. દુનિયા લાંબા યુદ્ધ માટે તૈયાર રહે. 

- રહેણાંક વિસ્તારો નિશાના પર
રશિયાએ હવે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. યુક્રેનમાં સામાન્ય નાગરિકોની હત્યા થઈ રહી છે. જ્યારે સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ કહ્યું કે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા મોટી છે. વીડિયોમાં રશિયન તરફથી બોમ્બ ધડાકાનો બતાવવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. કાલે રાત્રે મને ફોન આવ્યો. મારા ઘરથી 400 મીટર દૂર નાના બાળકોની શાળા પર બોમ્બ ફેંકવામાં આવ્યા છે.

- આ દેશ કરશે યુક્રેનની મદદ
બંને દેશો વચ્ચે ઉભી થયેલી સ્થિતિને જોતા યુકે, અમેરિકા અને અન્ય યુરોપના 28 દેશોએ યુક્રેનને વધુ હથિયાર, સ્વાસ્થ્ય સુવિધા અને અન્ય સૈન્ય સહાયતા આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. 

- યુક્રેનથી 4 હજારથી વધુ લોકો પરત આવ્યા
વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે, યુક્રેનથી 4 હજારથી વધુ લોકો પરત આવ્યા છે પરંતુ કેટલાક લોકો ત્યાં ફસાયેલા છે. ભારત પોતાના નાગરિકોની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને અમે લોકોને ત્યાંથી કાઢવાના પ્રયાસ કરી રહ્યાં છીએ, યુક્રેનનું એરસ્પેસ બંધ છે તેથી અમે રોડ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છીએ. 

-યુક્રેનના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક નવો સેલ્ફી વીડિયો જાહેર કર્યો 
યુક્રેનના રાષ્ટ્રપતિએ  થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક નવો સેલ્ફી વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે, 'તમામ યુક્રેનિયનોને શુભ સવાર, ઈન્ટરનેટ પર ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે અમે સેનાને તેના હથિયારો નીચે મૂકવા માટે કહ્યું છે. એવું નથી, આ આપણી ધરતી છે, આપણો દેશ છે, આપણાં બાળકો છે અને અમે તેની દરેક કિંમતે રક્ષા કરીશું.

- કોનોટોપમાં રશિયન એરક્રાફ્ટે કર્યા બે ધમાકા
જંગના ત્રીજા દિવસે રશિયાએ યુક્રેન પર બોમ્બવર્ષા જારી રાખી છે. કોનોટોપમાં રશિયન એરક્રાફ્ટે બે ધમાકા કર્યા છે. કહેવામાં આવ્યું કે, રશિયા ખારકીવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે. 

- રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ઠુકરાવી અમેરિકાની ઓફર
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મેં દેશ છોડવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે અમેરિકાને કહ્યું કે, તેમને ન હથિયાર જોઈએ ન સવારી. હકીકતમાં આજે અમેરિકી વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરતા જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન અમેરિકા તરફથી રેસ્ક્યૂ માટે મોકલવામાં આવ્યા છે. 

- રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવમાં ઘુસી ચુકી છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી ખુદ રક્ષાની જવાબદારી સંભાળી રહ્યાં છે. કિવમાં રાષ્ટ્રપતિ ખુદ સેનાને નિર્દેશ આપી રહ્યાં છે. 

- કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ યુક્રેનથી બહાર કઢાયેલા ભારતીયોનેલેવા જશે. તે બુખારેસ્ટથી મુંબઈ સુધી એર ઈન્ડિયાના વિમાન AI 1944 થી જશે. 

- રશિયાના હુમલા પર યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેને કહ્યું કે, તેણે રશિયાના IAl-76 એરક્રાફ્ટને ઉડાવી દીધું છે. આ સાથે કિવ એવેન્યૂમાં યુક્રેને રશિયાના હુમલાને નિષ્ફળ કર્યો છે. 

રશિયન સૈનિકોએ શુક્રવારે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો. આ હુમલાઓને કારણે સરકારી ઈમારતો નજીક ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો ગુંજી ઉઠ્યા હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની સંભાવના વધી ગઈ છે, જ્યારે તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. યુદ્ધમાં સેંકડો જાનહાનિના અહેવાલો વચ્ચે કિવમાં ઇમારતો, પુલો અને શાળાઓની સામે ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાઓ પણ બની છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વર્તમાન યુક્રેનની સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના સંકેતો પણ વધી રહ્યા હતા.

વિશ્વના નકશાને ફરીથી આકાર આપવા અને રશિયાના શીત યુદ્ધના પ્રભાવને પુનઃસ્થાપિત કરવા માટે તે પુતિનનું સૌથી મોટું પગલું છે. જો કે આ યુદ્ધમાં હજુ એ સ્પષ્ટ નથી થયું કે યુક્રેનનો કેટલો હિસ્સો હજુ પણ તેના કબજામાં છે અને કેટલો ભાગ રશિયાના કબજામાં છે. દરમિયાન, ક્રેમલિને વાટાઘાટો કરવા માટે કિવની ઓફર સ્વીકારી લીધી છે, પરંતુ તે યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકી પ્રત્યે ઉદાર હોવાનું જણાય છે, અને આ મામલાના રાજદ્વારી ઉકેલની શોધમાં નથી.

પશ્ચિમી દેશોના નેતાઓએ આપાતકાલીન બેઠક બોલાવી
પશ્ચિમી નેતાઓએ કટોકટીની બેઠક બોલાવી છે અને યુક્રેનના પ્રમુખે આવા હુમલાઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મદદની હાકલ કરી છે કારણ કે તેમને ભય છે કે રશિયા તેમની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે. યુક્રેનમાં મોટી જાનહાનિ થઈ શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. રશિયાના આક્રમણનો બીજો દિવસ યુક્રેનની રાજધાની પર કેન્દ્રિત હતો, જ્યાં એસોસિએટેડ પ્રેસના પત્રકારોએ ઘણા વિસ્તારોમાંથી વિસ્ફોટ અને ગોળીબારના અવાજો સાંભળ્યા હતા.

યુક્રેન સામે મોટી સૈન્ય કાર્યવાહીની ઘોષણા કરતી વખતે, પુતિને આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોને બાજુએ રાખ્યા છે અને અન્ય દેશોને ચેતવણી આપી છે કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના "પરિણામો તેઓએ ક્યારેય જોયા નથી." રશિયન સૈન્યએ કહ્યું કે તેણે વ્યૂહાત્મક નિયંત્રણ મેળવ્યું છે. કિવની બહાર એરપોર્ટ અને પશ્ચિમમાં એક શહેર.

ઓછામાં ઓછા 137 મૃત્યુ નોંધાયા છે
યુક્રેનિયન સત્તાવાળાઓએ યુક્રેનિયન બાજુએ ઓછામાં ઓછા 137 જાનહાનિની ​​જાણ કરી હતી અને દાવો કર્યો હતો કે સેંકડો રશિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન અધિકારીઓએ કોઈ જાનહાનિના આંકડા જાહેર કર્યા નથી. હાલમાં, મૃત્યુઆંકની ચકાસણી કરવી શક્ય નથી.

યુએન અધિકારીઓએ જણાવ્યું હતું કે 25 નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના ગોળીબાર અને હવાઈ હુમલામાં હતા. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે એક લાખ લોકોએ તેમના ઘર છોડી દીધા છે. એવી આશંકા છે કે યુદ્ધ આગળ વધતા આ સંખ્યા 40 લાખ સુધી પહોંચી શકે છે.

સૈન્યએ શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કિવ જોખમમાં હોવાના સંકેતો વચ્ચે, રશિયન જાસૂસો અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોનું જૂથ શહેરના કેન્દ્રથી લગભગ પાંચ કિલોમીટર ઉત્તરમાં જોવા મળ્યું હતું. અગાઉ, સેનાએ કહ્યું હતું કે રશિયન સુરક્ષા દળોએ યુક્રેનના બે લશ્કરી વાહનોને કબજે કર્યા હતા અને તેઓ સ્થાનિક હોવાના બહાને ઘૂસણખોરી કરવા માટે શહેર તરફ જઈ રહ્યા હતા. એક યુએસ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રશિયા ઉભયજીવી હુમલો કરી રહ્યું છે (જમીન, હવા અને પાણી દ્વારા, દરેક રીતે) અને હજારો રશિયનો એઝોવ સમુદ્રમાંથી મેરીયુપોલ તરફ આગળ વધી રહ્યા છે.

રશિયાએ યુક્રેન પર 200થી વધુ મિસાઈલો છોડી છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનનું હવાઈ સંરક્ષણ નબળું પડી ગયું છે, જ્યારે રશિયાએ યુક્રેનની આસપાસ એકત્ર કરાયેલી સેના અને સાધનોનો ત્રીજો ભાગ યુક્રેનમાં પ્રવેશ કર્યો છે. સત્તાવાર અનુમાન મુજબ રશિયાએ યુક્રેન પર 200 થી વધુ મિસાઇલો છોડ્યા છે, જેમાંથી કેટલીક રહેણાંક વિસ્તારોમાં પડી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ તરફ આગળ વધી રહેલા રશિયન સૈનિકોનો મોટો ભાગ હજુ પણ શહેરના કેન્દ્રથી 50 કિલોમીટરથી વધુ દૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news