હિંડનબર્ગના હંગામા બાદ સેબી ચીફને બદલવા માંગે છે અદાણી? કોને બેસાડવાની છે તૈયારી?

Hindenburg Report on SEBI Chairperson: શું શેરબજારમાં ફરી મોટી હલચલ મચી જવાની છે? અદાણી કેસમાં હિંડનબર્ગનો નવો ખુલાસો સામે આવ્યો છે. આ વખતે અડાણી કેસમાં સેબીના ચેરપર્સન સામેલ હોવાનો હિડેનબર્ગે દાવો કર્યો છે. ભારતીય શેરબજાર માટે આ સમાચાર ખરાબ સ્થિતિનું નિર્માણ કરનારા છે.

હિંડનબર્ગના હંગામા બાદ સેબી ચીફને બદલવા માંગે છે અદાણી? કોને બેસાડવાની છે તૈયારી?

Hindenburg Report On SEBI: હિંડનબર્ગના નવા રિપોર્ટ પછી, અદાણી ગ્રૂપે તેની 'ફૉલ બેક' સ્થિતિ માટે આયોજન કરવાનું શરૂ કર્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપ હવે સેબીના આગામી ચેરમેનના પદ માટે પોતાના એક વ્યક્તિને નિયુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પહેલાં કોણે લગાવ્યો હતો અદાણી પર આરોપ?
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે 18 મહિના પહેલા ગૌતમ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગના એ અહેવાલ બાદ શેરબજારમાં ભૂકંપ આવી ગયો હતો. 

આ વખતે હિંડનબર્ગે સેબી પર સાધ્યું નિશાનઃ
આ વખતે મામલો વધુ ગંભીર છે. કારણ કે, હિંડનબર્ગના રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર જ સીધું નિશાન સાધવામાં આવ્યું છે. હિંડનબર્ગે દાવો કર્યો છે કે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચના અદાણી કૌભાંડ સાથે જોડાણ છે. હિન્ડેનબર્ગના નવા રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબીના ચીફ માધાબી પુરી બુચ વચ્ચે સંબંધ હોવાનો દાવો કરતા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. એવો આરોપ છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે અદાણી મની સિફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઑફશોર એન્ટિટીમાં સેબીના ચેરમેનનો હિસ્સો હતો. જો કે, સેબીના અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે કે આ તમામ પાયાવિહોણા છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ છે.
 

क्या हिंडनबर्ग के आरोपों की जांच कराएगा वित्त मंत्रालय ?#HindenburgResearchpic.twitter.com/sLXDfWFB6b

— Zee News (@ZeeNews) August 11, 2024

 

'અદાણી ગ્રુપ ઈચ્છે છે પોતાનો સેબી ચેરમેન'?
હિન્ડેનબર્ગના નવા અહેવાલ પછી, અદાણી જૂથે તેની 'ફૉલ બેક' સ્થિતિ માટે આયોજન કરવાનું શરૂ કર્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપ હવે સેબીના આગામી ચેરમેનના પદ માટે પોતાના એક વ્યક્તિને નિયુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો આમાં એક નામ પણ સામે આવ્યું છે. અદાણી ગ્રૂપ હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન પદેથી નિવૃત્ત થયેલા દિનેશ ખારાને આ પદ માટે જોઈ રહ્યું છે અને તેમનું નામ આગળ કરી રહ્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી જૂથ સેબીમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે તેના પોતાના એક વ્યક્તિને ચેરમેન પદ પર નિયુક્ત કરવા માંગે છે જેથી તેના વ્યવસાયને કોઈપણ નિયમનકારી પગલાંથી સુરક્ષિત કરી શકાય.

અદાણી સેબીની તપાસને અંકુશમાં લેવાની તૈયારી કરી રહ્યું છે?
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અદાણી ગ્રૂપ પર અનેક વિવાદો અને આક્ષેપો થઈ રહ્યા છે. હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સામે સેબીની તપાસ વધુ તેજ થઈ શકે છે. આવી સ્થિતિમાં સેબીના ચેરમેન પદ પર વિશ્વાસુ વ્યક્તિની નિમણૂક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં થતી કોઈપણ કાર્યવાહીને નિયંત્રિત કરી શકાય. જો કે હજુ સુધી આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ પગલાને લગતા સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. જો અદાણી ગ્રુપ સફળ થાય છે, તો આ પગલું ગ્રુપની આગળની વ્યૂહરચના નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

કોણ છે દિનેશ ખરા અને અદાણી સાથે શું કનેક્શન છે?
દિનેશ ખારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ભૂતપૂર્વ ચેરમેન છે, જેમણે 2020 થી 2023 સુધી બેંકનું નેતૃત્વ કર્યું હતું. તેમણે એસબીઆઈમાંથી બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. વિવિધ મહત્વના હોદ્દા પર કામ કરતી વખતે તેમણે બેંકને ખૂબ જ ઉંચાઈઓ પર પહોંચાડી. તેમના નેતૃત્વ હેઠળ, એસબીઆઈએ ડિજિટલ બેંકિંગ અને વિવિધ નવી સેવાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SBIને ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય બેંકોમાંથી એક બનાવવાનો શ્રેય પણ તેમને જાય છે. પરંતુ, હવે તેનું નામ અદાણી ગ્રુપ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવી ચર્ચા છે કે અદાણી ગ્રુપ સેબીના નવા ચેરમેન તરીકે દિનેશ ખારાની નિમણૂક કરવાની યોજના બનાવી રહ્યું છે. આ આરોપો ત્યારે સામે આવ્યા જ્યારે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

હિંડનબર્ગનો રિપોર્ટ આટલો ગંભીર કેમ છે?
આ પહેલા શનિવારે રાત્રે હિંડનબર્ગ રિસર્ચે તેની વેબસાઈટ પર બીજી પોસ્ટ કરી આ ઘટસ્ફોટનો દાવો કર્યો હતો. હિંડનબર્ગે આ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપ અને સેબી ચીફ વચ્ચે સંબંધ છે. હિંડનબર્ગ રિસર્ચ, વ્હિસલબ્લોઅર દસ્તાવેજોને ટાંકીને અહેવાલમાં લખ્યું છે કે માધાબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015 ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. IIFL ના પ્રિન્સિપાલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ફંડની જાહેરાત જણાવે છે કે રોકાણનો સ્ત્રોત પગાર છે અને દંપતીનું કુલ રોકાણ $10 મિલિયન હોવાનો અંદાજ છે. હિન્ડેનબર્ગે આરોપ લગાવ્યો છે કે ઑફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણીના ડિરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.

બુચે 2022માં તેના પતિને તેના શેર ટ્રાન્સફર કર્યા હતાઃ
હિંડનબર્ગ રિસર્ચનો આરોપ છે કે એપ્રિલ 2017 થી માર્ચ 2022 સુધી માધબી પુરી બુચ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અને અધ્યક્ષ હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100 ટકા હિસ્સો હતો. 16 માર્ચ, 2022ના રોજ સેબીના ચેરપર્સન તરીકે તેમની નિમણૂકના બે અઠવાડિયા પહેલા, તેમણે તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news