અક્ષયકુમાર અને શાહરૂખના ચાહકોનો દિવસ સુધરી જાય એવા સમાચાર 

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને શાહરૂખ ખાનના ચાહકો માટે એક સમાચાર 

અક્ષયકુમાર અને શાહરૂખના ચાહકોનો દિવસ સુધરી જાય એવા સમાચાર 

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને શાહરૂખ ખાનના ચાહકો માટે એક સમાચાર છે. આ બંને સ્ટાર ફરીથી ફિલ્મી પડદે દેખાય શકે છે. એક રિપોર્ટ પ્રમાણે એક મલયાલમ સુપરહિટ ફિલ્મની રિમેકમાં આ બંને સ્ટાર્સને લેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ ડાયરેક્ટર ઉન્ની કૃષ્ણાએ શાહરૂખ ખાન અને અક્ષય કુમાર પર પસંદગી ઊતારી છે અને રિમેક બનાવવાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમારે યશ ચોપરાની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી.

ભૂતકાળમાં અક્ષય કુમારની ફિલ્મ ‘હે બેબી’ માં પણ કિંગખાને એક રોલ અદા કર્યો હતો. આ ફિલ્મ સાજિદ ખાને ડાયરેક્ટ કરી હતી. તો શાહરૂખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ માં પણ અક્ષય કુમાર એક નાનકડા સીનમાં જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા અક્ષય કુમારની ‘2.0’ એ સારી એવી કમાણી કરી હતી. જેમાં અક્ષય કુમારના મેકઅપની ખૂબ ચર્ચા થઈ હતી. આ પહેલા પેડમેન ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી.

હાલમાં અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ ‘કેસરી’ માં વ્યસ્ત છે. જે સારાગઢીની લડાઈ પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલ ગત અઠવાડિયે સોશિયલ મીડિયા પર રિલીઝ થયું હતું. બીજી તરફ કિંગખાનની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસર પર  ફ્લોપ સાબિત થઈ હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news