Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!

Anupama Upcoming Twist: અનુપમા (Rupali Ganguly) અને બા (Alpana Buch) ની વચ્ચે હવે એક એવી ક્ષણ આવશે જ્યાં બંને એકબીજા માટે સહારો બનશે.

Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), અનુજ કપાડિયા (Gaurav Khanna), કાવ્યા (Madalsa Sharma) અને વનરાજ (Shudhanshu Panday) સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama) ની સ્ટોરી હાલમાં ઘણી ઇમોશનલ ટચ લઈ રહી છે. દેરક વખતે મામલો જ્યાં પરિવારમાં નાના સભ્યો વચ્ચે હતો તે હવે બા એટલે કે લીલા (Alpana Buch) અને બાપુજી એટલે કે હસમુખ શાહ (Arvind Vaidya) ની 50 વર્ષ જૂની જોડી તૂટવાના આરે છે. ત્યારે હવે વનરાજ બાપુજીને જલદી ઘરે પરત લાવવા માટે બેતાબ છે.

પતિએ તરછોડી તો બાનું મગજ આવ્યું ઠેકાણે
ગત દિવસે આપણે જોયું કે બા તેના પતિને મનાવવા અનુપમાના ઘરે જાય છે પણ બંને વચ્ચે વાત બનતી નથી. બાપુજી સ્પષ્ટપણે બાને કહે છે કે હવે તે ક્યારે મરતા દમ સુધી તેની સાથે જશે નહીં. હવે તે બંને અલગ-અલગ અને એકલા મૃત્યુ પામશે. ત્યારબાદ બાએ આજીજી કરી પરંતુ બધું વ્યર્થ ગયું. આજના એપિસોડમાં આપણે જોઇશું કે હવે બાનું મગજ ઠેકાણે આવશે અને તે અનુપમા પાસે મદદની ભીખ માંગશે.

અનુપમાના ખભા પર માથું રાખી રડશે બા
આજના એપિસોડમાં આપણે ફરી એકવાર અનુપમાનું મહાન રૂપ જોઈશું. જે બાપુજીના બાને તરછોડ્યા બાદ તેમની ચિંતામાં તેમની પાછળ જશે. તે બાને સંભાળી લેશે અને પાર્કમાં બેસી તેમને તેમની ભૂલ માટે ઘણું સંભળાવશે. આ વખતે અનુપમાની વાત સાંભળી બાને ગુસ્સો આવશે નહીં પરંતુ તેઓ ખૂબ રડશે અને અનુપમા આગળ તેમની ભૂલોનો પસ્તાવો કરશે. તે કહેશે કે અનુપમા માટે તેમના મનમાં જે ગુસ્સો હતો તે બાપુજી પર કાઢ્યો. પરંતુ હવે અનુપમા જ બાપુજીને શાહ હાઉસમાં પરત લાવી શકે છે.

બા પર આવ્યો વનરાજને ગુસ્સો, કહી આ વાત
આગળ આપણે જોઈશું કે, જ્યારે બા બાપુજીને વગર ઘરે પરત ફરશે ત્યારે વનરાજ તેમને ઘરમાં એક ડગલું પણ મુકવા નહીં દે. તે કહશે કે જીદ અને ગુસ્સામાં તે પણ બાનો જ દીકરો છે તેથી હવે તેના પિતાનું અપમાન કરનારી મહિલાને તે તેના ઘરમાં આવવા દેશે નહીં. ભલે તે તેની માતા કેમ ના હોય. તે ખુબ જ ગુસ્સામાં આવી જાય છે. તે ગુસ્સાથી બાને કહશે કે જ્યાં સુધી તેના પિતા પાછા ઘરે નહીં આવે ત્યાં સુધી તે આ ઘરમાં પ્રવેશી શકશે નહીં. તે બાને ખુબ જ કડવી વાતો કહેશે.

અનુપમા બચાવશે બાની ઈજ્જત!
આ માતા-પુત્રની જંગમાં અનુપમા તેના એક્સ પતિ વનરાજની સામે મક્કમતાથી ઉભી રહશે અને બાનું અપમાન કરતા રોકશે. તે યાદ અપાવશે કે બાએ જે ભૂલ તેમના પતિનું અપમાન કરીને કરી છે, તે જ વનરાજ તેની માતાનું અપમાન કરીને કરી રહ્યો છે. પરંતુ અનુપમાની વાત સાંભળીને વનરાજ તેને બહારની વ્યક્તિ કહી ચૂપ કરાશે. તે અનુપમાને શાહ પરિવાર વચ્ચે ન બોલવાની વાત કરશે. આ બધું થયા પછી પણ અનુપમા બા માટે ઉભી રહશે. 

કાવ્યા નાખશે આગમાં ઘી
વનરાજના ગુસ્સાનો લાભ લઈને કાવ્યા ફરી એકવાર તેના ગુસ્સાની આગમાં ઘી ઉમેરવાનું કામ કરશે. તે કહેશે કે અનુપમાના કારણે બાનું અપમાન થયું છે. બાએ જે પણ કહ્યું તે અનુપમાની ભૂલોને કારણે હતું. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં બાને પોતાના ઘરની અંદર જવા મળે છે કે નહીં, બાપુજી ક્યારેય શાહ હાઉસમાં આવશે કે નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news