પુલવામા આતંકી હુમલાથી ગુસ્સામાં બોલિવૂડ, જાણો શું કહ્યું સલમાન અને અજયે

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 40 જવાનો શહીદ થયાં છે

પુલવામા આતંકી હુમલાથી ગુસ્સામાં બોલિવૂડ, જાણો શું કહ્યું સલમાન અને અજયે

મુંબઈ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 40 જવાનો શહીદ થયાં છે. એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી એક બસને ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 40 જવાનો શહીદ થયાં છે. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. બોલિવૂડ સેલેબ્સે પણ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યો છે.

— Vicky Kaushal (@vickykaushal09) February 14, 2019

— Ajay Devgn (@ajaydevgn) February 14, 2019

— Akshay Kumar (@akshaykumar) February 14, 2019

— PRIYANKA (@priyankachopra) February 14, 2019

— Salman Khan (@BeingSalmanKhan) February 14, 2019

આ ઘટના પછી વિકી કૌશલ, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, અજય દેવગન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે આ ઘટનાને આંચકાજનક અને નિંદનીય ગણાવી છે. પ્રિયંકાએ લખ્યું છે કે નફરત કોઈ વસ્તુનો ઉકેલ નથી. તેણે શહીદોના પરિવારોની શક્તિની પ્રાર્થના કરી તો અક્ષય કુમારે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તેમાં 70 વાહન હતાં. જેમાંથી એક ગાડી આતંકીઓના નિશાન પર હતી. સીઆરપીએફ જવાનોનો કાફલો જમ્મુથી શ્રીનગર આવી રહ્યો હતો. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે અને આત્મઘાતી હુમલાખોરનો એક વીડિયો જાહેર કર્યો છે. આ હુમલાખોરની ઓળખ કમાન્ડર આદિલ અહમદ દાર તરીકે થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news