'Taarak Mehta..' ના નટુકાકાએ જણાવી પોતાની છેલ્લી ઈચ્છા, દુનિયામાંથી આ રીતે થવા માંગે છે વિદાય

નાના પડદાના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયક કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. 

'Taarak Mehta..' ના નટુકાકાએ જણાવી પોતાની છેલ્લી ઈચ્છા, દુનિયામાંથી આ રીતે થવા માંગે છે વિદાય

નવી દિલ્હી: નાના પડદાના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયક કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષની ઉંમરે પણ દર્શકોનું મનોરંજન કરી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકના ગળા પર કેટલાક સ્પોર્ટ્સ દેખાયા હતા. ત્યારબાદ તેમણે ડોક્ટરને બતાવ્યું. આ વર્ષ એપ્રિલમાં તેમને કેન્સર થયાનું ડિટેક્ટ થયું હતું. ત્યારબાદથી ફેન્સ તેમના માટે સતત દુઆઓ કરી રહ્યા છે. 

એક્ટરે બતાવી તેમની છેલ્લી ઈચ્છા
ઘનશ્યામ નાયકના પરિવારે કીમોથેરાપી સેશન્સ શરૂ કરાવ્યા અને ફેન્સ ઈચ્છે છે કે તેમના વ્હાલા નટુકાકા જલદી સાજા થઈ જાય અને બધા વચ્ચે પાછા ફરે. જો કે આ બધા વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે નટુકાકાએ પોતાની છેલ્લી ઈચ્છા પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ચહેરા પર મેકઅપ સાથે મોતની ચીર નિંદ્રામાં પોઢી જવા ઈચ્છે છે. 

છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે
ઈન્સન્ટ બોલીવુડની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઈચ્છા શેર કરી છે. પોસ્ટ મુજબ ફેન્સના વ્હાલા નટુકાકાએ કહ્યું છે કે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહેવા ઈચ્છે છે. અત્રે જણાવવાનું કે ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સાથે જોડાયેલા છે અને દર્શકોનું મનોરંજન કરે છે. 

દમણમાં કરી રહ્યા હતા શોનું શુટિંગ
અત્રે જણાવવાનું કે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. તે સમયે ગળામાંથી 8 ગાઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ હવે તેમની તબિયત સુધારા પર છે. આ મુશ્કેલ ઘડીમાં પણ તેઓ ગુજરાતના દમણમાં શોનું શુટિંગ કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયક આવનારા એપિસોડ્સ અને મુંબઈમાં થનારા શુટિંગ અંગે ઉત્સાહિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news