આ હસીના છેલ્લા બે દિવસથી હતી ચર્ચા પણ કોથળામાંથી નિકળ્યું બિલાડું

સબ ટીવી પર પ્રસારિત થતો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ સીરિયલમાં દયાબેનનો રોલ પ્લે કરનારી દિશા વાકાણી છેલ્લા ઘણા વખતથી સિરિયલમાં દેખાતી નથી.

આ હસીના છેલ્લા બે દિવસથી હતી ચર્ચા પણ કોથળામાંથી નિકળ્યું બિલાડું

મુંબઈ : સબ ટીવી પર પ્રસારિત થતો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ સીરિયલમાં દયાબેનનો રોલ પ્લે કરનારી દિશા વાકાણી છેલ્લા ઘણા વખતથી સિરિયલમાં દેખાતી નથી. હવે પ્રોડ્યૂસરે તેને રિપ્લેસ કરીને એક્ટ્રેસ વિભૂતિ શર્માને સાઇન કરી લીધી હોવાના બે દિવસથી સમાચાર  હતા.

વિભૂતિ શર્મા આ પહેલા હમને લી હૈ શપથ અને પ્યાર તૂને ક્યા કિયા જેવા શોમાં કામ કરી ચૂકી છે. દયાબેનનો રોલ કરવા અંગે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ વાતને અફવા ગણાવી ફગાવી દીધી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ‘મને તે ખબર નથી પડતી કે આવી બધી અફવાઓ આવે છે ક્યાંથી? હું ન તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીને રિપ્લેસ કરી રહી છું કે ન તો મેં આ માટે કોઈ ટેસ્ટ આપી. મને ટીવી શો કરવામાં બિલકુલ રસ નથી. મેં હાલ પૂરતો એક્ટિંગથી બ્રેક લીધો છે. આ ખૂબ જ ફની છે. હું હાલ જાહેરાતો કરી રહી છું અને મને દૈનિક ધારાવાહિક કરવામાં ક્યારેય રસ નહોતો’.

દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું. ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડક્શન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news