ગુજરાતમાં કોરોના કરી રહ્યો છે ઘર! એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી, એકનું મોત, જાણો આજના કેસ?

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતભરમાં 2310 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 વેન્ટીલેટર પર છે. તેમાંથી 2305 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1268837 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 11055 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોના કરી રહ્યો છે ઘર! એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી, એકનું મોત, જાણો આજના કેસ?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે. જ્યારે આજે 274 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. સુરતમાં એક વ્યક્તિ કોરોના સામેની જંગમાં હારી ગયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2310એ પહોંચ્યા છે. 

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતભરમાં 2310 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 વેન્ટીલેટર પર છે. તેમાંથી 2305 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1268837 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 11055 લોકોના મોત થયા છે.

અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 89 , અમરેલીમાં 07, આણંદમાં 05, બનાસકાંઠામાં 12, ભરૂચમાં 08, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 04, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 09 , ગીર સોમ નાથમાં 03, જામનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, ખેડામાં 01 , કચ્છમાં 05 ,મહેસાણામાં 12, મોરબીમાં 34, પાટણમાં 01,પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 22 , રાજકોટમાં 22 , સાબરકાંઠામાં 14, સુરતમાં જિલ્લામાં 06, સુરતમાં 31, સુરેન્દ્રનગરમાં 01, વડોદરામાં 25 ,વડોદરા જિલ્લામાં 03 અને  વલસાડમાં 06 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

ગાંધીનગરમાં પણ એક કોરોનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news