ઉંઝાના સુરપુરામાં 42 વર્ષીય વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

મહેસાણા જિલ્લાના ઉંઝામાં પણ 42 વર્ષીય વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર પણ દોડતું થયું છે.

ઉંઝાના સુરપુરામાં 42 વર્ષીય વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

મહેસાણા: વરસાદ વિરામ લીધા બાદ રાજ્યમાં રોગનું પ્રમાણ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સ્વાઈન ફ્લૂથી મોતના આંકડાઓ વધી રહ્યા છે. તેવામાં મહેસાણા જિલ્લાના ઉંઝામાં પણ 42 વર્ષીય વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર પણ દોડતું થયું છે. મહત્વનું છે, કે છેલ્લા ધણાં સમયથી મૃતક ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના પરિવાર તેમજ રહેણાક વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news