આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન

 ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. 

આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન

ગુજરાત : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. ગુજરાતના સાત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ માટે ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ એક ગુજરાતીને પણ પદ્મશ્રી મળ્યો છે, જેઓ હાલ મહારાષ્ટ્રમાં રહે છે. 

Padma.JPG

  • - જયોતિ ભટ્ટને કળા ક્ષેત્રે પદ્મશ્રી 

Padma3.JPG

  • - જોરાવરસિંહ જાદવને કળા અને નૃત્ય માટે પદ્મશ્રી 

Pdma8.JPG

  • - વલ્લભભાઇ મારવાણિયાને કૃષિ માટે પદ્મશ્રીથી 

Pdma55.JPG

  • - અબ્દુલ ગફુર ખત્રીને કળા અને ચિત્ર માટે પદ્મશ્રી 
  • - બિમલ પટેલને આર્કિટેક્ચર માટે પદ્મશ્રી

Padma2.JPG

  • - મુક્તાબેન ડગલીને સામાજીક અને દિવ્યાંગ વેલ્ફેર માટે પદ્મશ્રી 
  • - નગીનદાસ સંઘવીને સાહિત્ય અને પત્રકારક્ષેત્રે પદ્મશ્રી 

અનિલ નાઈકને પદ્મશ્રી
અનિલ મણીભાઈ નાઈક લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં ગ્રૂપ એક્ઝિક્યુટિવ ચેરમેન છે. મૂળ ગુજરાતના અનિલ નાઈક હાલ મહારાષ્ટ્રમાં રહે છે. 

ગુજરાતની મહિલાને પદ્મશ્રી
મુક્તાબેન ડગલી છેલ્લા ઘણા વર્ષોથી અંધ બહેનોને સંસ્થામાં આશ્રય આપી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ મૂળ અમરેલીના નાના આંકડિયાના વતની છે. પહેલા તેઓ અમરેલીની અંધશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ બાદમાં તેમણે સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સંસ્થા શરૂ કરી. મુક્તાબેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી બંને પ્રજ્ઞાચક્ષુ છે. 

ઉલ્લેખનીય છે કે, જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિને પણ અપાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news