ગીરસોમનાથઃ વેરાવળના ભેટાળી ગામે છકડો અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવકના મોત

એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે બીજા યુવકને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું હતું. 
 

  ગીરસોમનાથઃ વેરાવળના ભેટાળી ગામે છકડો અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવકના મોત

ગીરસોમનાથઃ ગીર-સોમનાથના વેરાવળના ભેટાળી ગામે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે યુવકના મોત થયા છે. જેમાંથી એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર ન મળતા મોત થયું છે. ઈજાગ્રસ્ત યુવકને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટર હાજર ન હોવાથી યુવકને સારવાર ન મળી. સમયસર સારવાર ન મળતા ઈજાગ્રસ્ત યુવક મોતને ભેટ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ હતા પરંતુ તેઓ ઘરે જમવા માટે ગયા હોવાથી દોઢ કલાકે આરોગ્ય કેન્દ્રમાં પરત ફર્યા હતા.  જો કે ત્યાં સુધીમાં યુવકનું સારવાર ન મળતા મોત થયું છે. આમ આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડીના કારણે એક જિંદગી બુઝાઈ ગઈ છે. કદાચ આ યુવકને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની આ પ્રકારની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news