અમદાવાદ: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 70 સીએનું ભાજપમાં કર્યું જોડાણ

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમા 70 સીએ ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. જેમાં આઇ.સી.એ.આઇ.ના પૂર્વ નેશનલ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી, અમદાવાદ ચેપ્ટરના પ્રેસીડેન્ટ શ્રી ગણેશ નાદર, સીએ એસોસીયેશન અમદાવાદના પ્રેસીડેન્ટ આનંદ શર્મા,શ્રી સંજય શાહ સહિત 70નો સમાવેશ થાય છે. 

અમદાવાદ: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 70 સીએનું ભાજપમાં કર્યું જોડાણ

અમદાવાદ: ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમા 70 સીએ ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. જેમાં આઇ.સી.એ.આઇ.ના પૂર્વ નેશનલ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી, અમદાવાદ ચેપ્ટરના પ્રેસીડેન્ટ શ્રી ગણેશ નાદર, સીએ એસોસીયેશન અમદાવાદના પ્રેસીડેન્ટ આનંદ શર્મા,શ્રી સંજય શાહ સહિત 70નો સમાવેશ થાય છે. 

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ જણાવ્યુ હતુ કે, આટલી મોટી સંખ્યામાં અર્થતંત્ર વ્યવસ્થા તથા આર્થિક નીતિઓની અમલવારીમાં મહત્વનો ભાગ ભજવતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ભાજપાના સદસ્ય બન્યા છે એ ગૌરવની વાત છે.

સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

સાથે જ ભાજપના નવા સદસ્ય બનેલા સીએ સુનિલ તલાટીએ જણાવ્યુ હતુ કે, અમે સૌ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ હદયપૂર્વક ભાજપાના અવિભાજ્ય અંગ બનવાના ઉદ્દેશ્યથી આ રાષ્ટ્રવાદી પાર્ટીમાં જોડાયા છીએ. પીએમ મોદીના નેતૃત્વમાં ‘‘નયા ભારત’’ના નિર્માણ હેતુ રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનીશુ.

 

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news