Corona Update: રાજ્યમાં નવા 14 કેસ, 1 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 98.76%


રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 87 લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 77 લોકો સાજા થયા છે. 

Corona Update: રાજ્યમાં નવા 14 કેસ, 1 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 98.76%

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રાજ્યમાં છેલ્લા 14 કલાકમાં 14 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 340 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 87 લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 77 લોકો સાજા થયા છે. 

રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2 કેસ સામે આવ્યા છે. તો આણંદમાં બે નવા કેસ નોંધાયા છે. જામનગર, જુનાગઢ, સુરત શહેરમાં એક-એક અને વલસાડ તથા રાજકોટ શહેરમાં ત્રણ-ત્રણ કેસ સામે આવ્યા છે. તો વલસાડ જિલ્લામાં એક દર્દીનું નિધન થયું છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 176 છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 340 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 87 લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 77 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 2 લાખ 96 હજાર 160 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 6 લાખ 73 લાખ 51 હજાર 741 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news