હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘરાજા ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની મોટી આગાહી

Navratri 2023 Weather Forecast: નવરાત્રિ સમયે ગુજરાતમાં કેવું હશે હવામાન? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નોંધનીય છે કે, 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.

હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘરાજા ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની મોટી આગાહી

Navratri 2023 Weather Forecast: ખેલૈયાઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિ સમયે ગુજરાતમાં કેવું હશે હવામાન? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નોંધનીય છે કે, 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.

બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એક તરફ આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો હવે ધીમેધીમે વરસાદ શરૂ થયો છે.

અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ દેશમાં ફરી એકવાર ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, આવામાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની અને તેની અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ અટક્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઓગસ્ટ મહિનો બહુ ઓછા વરસાદવાળો રહ્યો હતો. પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓ છે. તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

વરસાદ ક્યારે આવશે આ સવાલ દરેકના મનમાં હોય છે. વરસાદ અંગેની અપડેટ જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે જાણી વરસાદ અંગે શું કહી રહ્યાં છે જાણીતા આગાહીકાર અંબાલાલ અને શું છે હવામાન વિભાગનો મત...સપ્ટેમ્બર માસમાં વરસાદની બેક ટુ બેક સિસ્ટમ બનશે. લો-પ્રેશરનાં કારણે બંગાળની ખાડીમાં ગજબની સ્થિતિ સર્જાશે. 10થી 14 તારીખે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદ લંબાશે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી બે-ત્રણ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. જ્યારે 8મી તારીખે સામાન્ય વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે.

6 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખી 6થી 12માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલના ભાગો અને કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 12 સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે.

ઓગસ્ટ મહિનામાં આકરી ગરમીનો સામનો કર્યા બાદ સપ્ટેમ્બરમાં લોકોને તેનાથી રાહત મળી હતી. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે આજે મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેજ પવન સાથે વીજળી અને વરસાદની સંભાવનાને જોતા બિહારના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં આજે વીજળી પડવાની સંભાવના છે ત્યાંના લોકોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી રહી છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર સહિત પંજાબ, હરિયાણામાં રહેતા લોકો માટે કોઈ સારા સમાચાર નથી, અહીંના લોકોએ વરસાદની રાહ જોવી પડી શકે છે. અહીં પવન ફૂંકાઈ રહ્યો છે અને આકાશ પણ વાદળછાયું છે. પરંતુ IMD અનુસાર, 7-8 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાની સંભાવના છે.

તેમણે જણાવ્યું કે, 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. તેમણે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 

અંબાલાલ પટેલ આ દરમિયાન થનારા વરસાદની વિગતો અંગે વાત કરીને કહે છે કે, ગુજરાતમાં હળવા, મધ્યમ સહિત સારા વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદ ગયો નથી, જોકે, વરસાદ પહેલા તાપ પડશે. 15મી સપ્ટેમ્બર પછી પવન, તાપ સહિતની ગતિવિધિના આધારે ચોમાસા અંગે અંગે વધુ ખ્યાલ આવી શકશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ભેજવાળા પવનોના કારણે સાંજના સમયે બફારો પણ અનુભવાઈ રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news