GUJARAT CORONA UPDATE: મંકીપોક્સના ભય વચ્ચે કોરોનાથી સાવધાન! અમદાવાદ સહિત આ શહેરમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5613 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5603 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,32,544 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે

GUJARAT CORONA UPDATE: મંકીપોક્સના ભય વચ્ચે કોરોનાથી સાવધાન! અમદાવાદ સહિત આ શહેરમાં સૌથી વધુ કેસ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં બે દિવસના ઘટાડા બાદ આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 731 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5613 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5603 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,32,544 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 211 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 51, વડોદરા કોર્પોરેશનમાં 49, રાજકોટ કોર્પોરેશનમાં 44, કચ્છમાં 30, સુરતમાં 28, મહેસાણામાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ગાંધીનગરમાં 18, પાટણમાં 17, બનાસકાંઠામાં 16, મોરબીમાં 11, રાજકોટમાં 9, આણંદમાં 8, જામનગર કોર્પોરેશનમાં 8, સાબરકાંઠામાં 7, તાપીમાં 6, વલસાડમાં 6, અમદાવાદમાં 5, ભરૂચમાં 5, દેવભૂમિ દ્વારકામાં 5, જામનગરમાં 5, પંચમહાલમાં 5, નવસારીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, વડોદરામાં 3, અમરેલીમાં 2, અરવલ્લીમાં 2, ગીર સોમનાથમાં 1 અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 215 દર્દી સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનમાં 12, કચ્છમાં 30, સુરતમાં 16, મહેસાણામાં 54, ભાવનગર કોર્પોરેશનમાં 56, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ગાંધીનગરમાં 21, પાટણમાં 2, બનાસકાંઠામાં 4, મોરબીમાં 8, રાજકોટમાં 10, આણંદમાં 24, જામનગર કોર્પોરેશનમાં 2, સાબરકાંઠામાં 14, તાપીમાં 2, વલસાડમાં 10, અમદાવાદમાં 12, ભરૂચમાં 15, જામનગરમાં 1, પંચમહાલમાં 4, નવસારીમાં 12, સુરેન્દ્રનગરમાં 11, વડોદરામાં 7, અરવલ્લીમાં 4, ગીર સોમનાથમાં 3, ભાવનગરમાં 54, દાહોદમાં 1, ખેડામાં 1 અને પોરબંદરમાં 5 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,41,417 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,803 ને રસીનો પ્રથમ અને 5,145 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 265 ને રસીનો પ્રથમ અને 1,389 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 26,930 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,204 ને રસીનો પ્રથમ અને 2,395 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,02,286 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,40,05,750 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news