લોકસભા પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો : 2000 કાર્યકર્તાઓને કેસરિયા કરાવી કોંગ્રેસમાં મોટું ભંગાણ કર્યું

રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કર્યા કાર્યકર્તાઓ સાથે કેસરિયા,,, કમલમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા...રાજકોટ અને પોરબંદમાં ભાજપ બની વધુ મજબૂત

લોકસભા પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો : 2000 કાર્યકર્તાઓને કેસરિયા કરાવી કોંગ્રેસમાં મોટું ભંગાણ કર્યું

Gadhinagar News : રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યાં છે. કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં. આ સાથે જ ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 2000 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના છે. આમ, ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 

લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ
લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાથી 1500 કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જોડાયા હતા. 

તમામ કાર્યકર્તાઓને આવકારતા ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગુજરાતમાંથી ૨૧૦૦ થી વધારે કાર્યકર પોતાની પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. જેમાં 12 જિલ્લા પંચાયતના સભ્યો , 5 પુર્વ કોર્પોરેટર, 5 ધારાસભા લડેલા ઉમેદવાર, 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 

તેમણે વધુમાં કહ્યું કે, એક પણ કાર્યકર કે નેતાને કાણી પાઇ આપી નથી. 40 બસો ભરી કાર્યકરો સ્વંય આવ્યા છે. નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મુકી લોકો જોડાયા છે. ભાજપાની જમીન સૌરાષ્ટ્રમાં મજબુત કોંગ્રેસ અને આપના કાર્યકરો ગુંગળાતા હતા. જેમને અમારી પાર્ટીમાં સામેલ કર્યા છે. અમારા કાર્યકર્તાઓ ખુશ છે. 

તો આ પક્ષપલટા અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના લલિત વસોયાએ જણાવ્યું કે, અલ્પેશ ગોવાણી ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખ નથી. છેલ્લે 2020 થી જયેશભાઇ લાખાણી પ્રમુખ છે, 2022 ની વિધાનસભાની ચુંટણી વખતે પાર્ટીમાથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. ઉપલેટા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લા પંચાયતના ઉપલેટાના બંન્ને સભ્યો 2022 વિધાનસભાની ચુંટણી વખતે ભાજપમાં ભળી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news