વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ચુકી છે, તમામ મતદાતાઓનો આભાર: CM

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ચુકી છે, તમામ મતદાતાઓનો આભાર: CM

*  મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે સરસંઘચાલક મોહન ભાગવતજીની ઔપચારિક મુલાકાત લેતા મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની નીતિ-રીતિમા વિશ્વાસ રાખીને ગુજરાતના મતદારોએ ભારે મતદાન કર્યું છે. બહોળા પ્રતિસાદ બદલ ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે સરસંઘચાલક મોહન ભાગવતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપના એક-એક કાર્યકરે કોરોનાની મહામારી વચ્ચે પણ જે સંનિષ્ઠ પ્રયત્નોથી કાર્ય કર્યું છે તેનાથી ભાજપની જીત નક્કી છે.

આજે થયેલું મતદાન દર્શાવે છે કે, ગુજરાતના મતદારોને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ છે. લોકોને ભાજપની નીતિમાં વિશ્વાસ છે અને વિધાનસભાની ૮ પેટા ચૂંટણીની બેઠકો પર ચોક્કસ જીતીશ છું તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે,કોંગ્રેસ નિરાશ છે.આ ચૂંટણીમાં તે પોતાની હાર ભાળી ગઈ છે. તેથી વિવિધ પ્રકારના નિવેદનો કરીને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news